Headlines

ખંભાળિયાના દ્વારિકાધીશ યુવા ગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટે વિના મૂલ્યે એમ્બ્યુલન્સ સેવા

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫       ફૂલડોલ ઉત્સવ નિમિત્તે જતા પદયાત્રીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ એમ્બ્યુલન્સ અને આરોગ્યના સેવા કાર્યનો ખંભાળિયા વિસ્તારમાં શુભારંભ કરવામાં આવ્યો છે. જે પડાણા પાટીયાથી લીંબડી સુધીના વિસ્તારમાં જતા પદયાત્રીઓને ઇમરજન્સી સારવાર માટે એમ્બ્યુલન્સ સેવા તેમજ અહીંની 8 નામાંકીત હોસ્પિટલોમાં વિના મૂલ્યે નિદાન, સારવાર અને મેડિકલ દવા…

Read More

ખંભાળિયાના આહિર સિંહણ ગામે શુક્રવારે પહેડી મહોત્સવનું આયોજન

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫          ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામની બાજુમાં આવેલા શ્રી સંઘાયડા વાળા શ્રી યક્ષ બૌતેરા ડાડાના વિશાળ પટાંગણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સૌરાષ્ટ્ર કરછ વાગડનાં ક્ષત્રિય સંઘાર સમાજનાં ઈષ્ટદેવ શ્રી યક્ષ બૌતેરા ડાડાની પહેડી મહોત્સવનું આયોજન આગામી શુક્રવાર તારીખ 14 ના રોજ કરવામાં આવ્યું છે. જેમાં…

Read More

ખંભાળિયામાં આગનું છમકલું : ફાયર ફાયટર દોડ્યા

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫          ખંભાળિયામાં આવેલા એક કબ્રસ્તાન અને સ્મશાન વચ્ચે નજીકની જગ્યામાં રહેલા કચરા તેમજ સૂકા ઘાસમાં આજે બપોરે એકાએક આગ લાગી હતી. આ અંગેની જાણ અહીંના ફાયર વિભાગને કરવામાં આવતા જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર ટીમના જવાનોએ તાત્કાલિક ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે દોડી જઈ, અને…

Read More

દ્વારકામાં હોળાષ્ટકનો પ્રારંભ, રાજાધિરાજ દ્વારકાધીશ શ્વેત વાઘામાં અબીલ-ગુલાલની પોટલી ધારણ કરશે

કુજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫           આજરોજ તા. 7 માર્ચથી હોળાષ્ટકનો પ્રારંભ થયો છે. જેથી દ્વારકાના જગતમંદિરમાં દોલોત્સવ સુધી ઠાકોરજીને સવારે શૃંગાર આરતી તેમજ સાંજે સંધ્યા આરતી દરમ્યાન સફેદ વસ્ત્રો સાથેના અલૌકિક શૃંગાર સાથે બંને આરતી સમયે ઠાકોરજી સંગ ચાંદીની પિચકારીમાં કેસરજળ તથા અબીલ ગુલાલની પોટલી સાથેના શૃંગાર યોજાશે. –…

Read More

પૂ. જલારામ બાપા વિશે અશોભનીય કથનનો કોઈને અધિકાર નથી: પરિમલ નથવાણી

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫         સંત શિરોમણી પૂ. જલારામ બાપાને માત્ર લોહાણા સમાજના જ નહીં, પરંતુ સમગ્ર હિન્દુ સમાજ ભગવાન માને છે. તેમનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી તેમ જણાવી, ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ તાજેતરના એક વ્યક્તિ દ્વારા કરાયેલા પૂ. જલારામ બાપા વિશેના કથનને વખોડી કાઢ્યા છે.  …

Read More

ગુજરાતમાં મોટી સંખ્યામાં આચાર્યોની જગ્યાઓ ખાલી

– સરકાર દ્વારા કારણોનું ચિંતન, મનન અનિવાર્ય –  જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫      ગુજરાતમાં 900 જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની જગ્યાઓ ખાલી છે. તેના કહેવાતા મુખ્ય કારણ મુજબ સરકાર દ્વારા તાજેતરમાં જ ભરતી કરવામાં આવી, તેમ છતાં આટલી જગ્યાઓ ખાલી રહેવાનું કારણ જાણી તેનું નિરાકરણ લાવવાની તાતી જરૂરિયાત છે.      …

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લાનો દરિયો તોફાની રહેવાની શક્યતા: માછીમારોને સાવચેત કરાયા

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૫          હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. 4 થી તા. 8 માર્ચ સુધી દરિયામાં પવનની ઝડપ 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની તેમજ આ ઝડપ વધીને 55 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે જેના કારણે દરિયો એકદમ તોફાની બની રહેશે તેવી શક્યતાને ધ્યાને લઈ, અને…

Read More

દ્વારકા જિલ્લામાં ધાર્મિક દબાણ અંગે તંત્ર સમક્ષ જરૂરી અરજી પણ થઈ શકે છે: પ્રાંત અધિકારી

– ડિમોલિશનની વહેતી અફવાઓ અંગે પ્રાંત અધિકારીની સ્પષ્ટતા –  જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા, ભાણવડ તથા કલ્યાણપુર તાલુકામાં તાજેતરમાં સ્થાનિક મામલતદાર દ્વારા ધાર્મિક સ્થળોની યાદી બહાર પાડીને આની સામે કાર્યવાહી કરવા અંગેની નોટિસ જાહેર કરી અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.          આ મુદ્દે સમગ્ર જિલ્લામાં ભારે ઉહાપોહ…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ત્રણ નગરપાલિકાઓના હોદ્દેદારો વરાયા

– પ્રમુખ તરીકે દ્વારકામાં કોમલબેન, સલાયામાં જુલેખાબેન અને ભાણવડમાં પ્રિયેશભાઈ ઉનડકટ – જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં યોજાઈ ગયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દ્વારકા, સલાયા તેમજ ભાણવડમાં એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન અને મતગણતરીની પ્રક્રિયા સંપન્ન થઈ હતી. જેમાં દ્વારકા અને ભાણવડમાં ભાજપની નોંધપાત્ર જીત જ્યારે સલાયામાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો…

Read More

કલ્યાણપુર નજીક કારની ઠોકરે બુલેટ સવાર દંપતિ ઇજાગ્રસ્ત

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫        કલ્યાણપુરથી આશરે 30 કિલોમીટર દૂર લીંબડી ગામ નજીક આવેલા હાઈ-વે માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 10 સી.એન. 5083 નંબરની વર્ના મોટરકારના ચાલકે આ માર્ગ પર બુલેટ મોટરસાયકલ પર જઈ રહેલા દેવાભાઈ સોનગરા તથા તેમના પત્ની વીરૂબેન દેવાભાઈ સોનગરાને અડફેટે લેતા તેઓને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં…

Read More