Headlines

ભાણવડ વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રોનની મદદથી દારૂની ભઠ્ઠી પર દરોડો

જામ ખંભાળિયા, તા. ૩૧-૧૨-૨૦૨         દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને અનુલક્ષીને દેશી- વિદેશી દારૂ સામે કડક સાથે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં દેવભૂમિ દ્વારકા ખંભાળિયાના ડીવાયએસપી વી.પી. માનસેતાની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ ભાણવડના પી આઈ. સી.એલ. દેસાઈ, બી.એમ. દેવમુરારી…

Read More

ખંભાળિયામાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જીમનો પ્રારંભ કરાયો

– પોલીસ તંત્ર દ્વારા આરોગ્યલક્ષી પગલું –  જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલા પોલીસ હેડ ક્વાર્ટરમાં આજથી જીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.         આ અંગેની વિગતો આપતા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ જણાવ્યું હતું કે વર્તમાન સ્ટ્રેસભરી પરિસ્થિતિમાં પોલીસ કર્મચારીઓ અને લોકો માટે…

Read More

દ્વારકામાં નવા વર્ષના પ્રારંભે કરુણાંતિકા: યુવકે ગોમતી નદીમાં ઝંપલાવી આયુષ્ય ટૂંકાવ્યું

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬       યાત્રાધામ દ્વારકામાં નવા વર્ષના પ્રથમ દિવસે જ એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. મોડી રાત્રે એક યુવકે પવિત્ર ગોમતી ઘાટ પરથી નદીના વહેતા પાણીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો છે.       સ્થાનિક સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ, આ આત્મઘાતી પગલાં પાછળ કથિત પ્રેમ પ્રકરણ જવાબદાર…

Read More

ખંભાળિયામાં જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણ કરાયું

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬        ખંભાળિયા શહેરમાં માનવ સેવા સમિતિના ઉપક્રમે મુંબઈ સ્થિત ગાંધી ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ તથા શાંતાબેન ગુલાબરાય બદીયાણી (ગાંધી) ફાઉન્ડેશનના સંપૂર્ણ આર્થિક સહયોગથી જરૂરિયાતમંદ પરિવારોને વિના મૂલ્યે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.    આ પ્રસંગે માનવ સેવા સમિતિના પ્રમુખ મનુભાઈ પાબારી, સંસ્થાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ મજીઠીયા અને ધીરેનભાઈ બદીયાણીએ જરૂરી…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાલથી બે દિવસ મેગા ડોક્યુમેન્ટ કલેક્શન કેમ્પનું આયોજન

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬      મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત તમામ પાત્ર નાગરિકોને મતદાર યાદીમાં નામ નોંધણી, વિગતોની ચકાસણી તથા જરૂરી ફેરફાર કરવા માટે અપીલ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.       આ કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેગા ડોક્યુમેન્ટ…

Read More

શિવરાજપુર બીચ ખાતે તા. 11 ના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરાશે

– સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી –  જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬         ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તારીખ 11 જાન્યુઆરીના રોજ દ્વારકા નજીક આવેલા શિવરાજપુરના બ્લુ…

Read More

ભાણવડના શિવ બળદ આશ્રમના તમામ બળદને ઉતમ પ્રકારનો ખોળ ભરપેટ અપાયો

– સ્વયંસેવકોએ નૂતન વર્ષની કરી નવતર ઉજવણી – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬        ભાણવડ પંથકમાં એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શિવ બળદ આશ્રમમાં સ્વયં સેવકો દ્વારા આ આશ્રમમાં આશરો લઈ રહેલા બળદ માટે અવારનવાર ખાસ પ્રકારના ખોરાકની વ્યવસ્થા કરવામાં આવે છે. જેમાં ગઈકાલે નવા વર્ષના પ્રારંભે અહીંના તમામ બળદને ઉત્તમ પ્રકારનો ખોળ પીરસવામાં…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કિશન-વિશાલ-સચિનને પાસા : કચ્છ, પાલનપુર અને વડોદરામાં જેલવાસ અપાયો

– ખંભાળિયાના ત્રણ શખ્સોને પાસા – જામ ખંભાળિયા, તા. ૦૧-૦૧-૨૦૨૫       દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબૂત બની રહે તે માટે જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ એલસીબીની ટીમ દ્વારા સધન કાર્યવાહી કરી, ખંભાળિયામાં વિવિધ ગુનાઓ સાથે સંડોવાયેલા ત્રણ શખ્સોને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા છે.       આ અંગે…

Read More

દ્વારકામાં ભરશિયાળે અષાઢી માહોલ છવાયો : ભારે પવન સાથે માવઠું પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

જામ ખંભાળિયા, તા. ૩૧-૧૨-૨૦૨૫        દ્વારકા જિલ્લામાં યાત્રાધામ દ્વારકા સહિત આસપાસના પંથકમાં આજે વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, વહેલી સવારથી જ આકાશ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું અને ત્યારબાદ જોરદાર પવન સાથે વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. દ્વારકામાં વરસાદ એટલો વેગીલો હતો કે દ્વારકાના મુખ્ય…

Read More

રિલાયન્સ ગ્રુપના અંબાણી પરિવારે વર્ષ 2025ના અંતિમ દિને ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવ્યું

જામ ખંભાળિયા, તા. ૩૧-૧૨-૨૦૨૫        દેશના પ્રથમ હરોળના ઔદ્યોગિક એકમ રિલાયન્સ ગ્રુપના અંબાણી પરિવારના મુકેશભાઈ અંબાણી, તેમના પુત્ર અનંત અંબાણી તેમજ પુત્રવધુ રાધિકા અંબાણીએ આજરોજ વર્ષ 2025ના અંતિમ દિને સાંજના ઠાકોરજીના ઉત્થાપન સમયે યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ મંદિરે કાળિયા ઠાકોરને શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને આગામી વર્ષ 2026 સર્વકોઈ માટે સુખ-સમૃદ્ધિભર્યુ રહે તેવી…

Read More