જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫ ખંભાળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત કલ્યાણપુર તાલુકાના નવનિયુકત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દેવશીભાઈ કરમુરનો વિદાય સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા, તાલુકા સંઘના પ્રમુખ જગદીશભાઈ ડેર, મહામંત્રી હિતેષભાઇ કરમુર, બી.આર.સી. પી.એસ. રાણા,જિલ્લા ઉપપ્રમુખ પરેશભાઈ ચાવડા, કે.ની. રામજીભાઈ, […]
Category: JAM KHABHALIYA
ખંભાળિયા પોલીસનું “તેરા તુજકો અર્પણ”: રૂ. દોઢ લાખની કિંમતના ફોન મૂળ માલિકને સોંપાયા
જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫ ખંભાળિયા પોલીસ મથકમાં સ્થાનિક પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા સાથે વિવિધ પ્રકારના સેવાકાર્યો પણ કરવામાં આવે છે. ત્યારે ખંભાળિયા પંથકમાં કેટલાક આસામીઓના સમયાંતરે ગુમ થયેલા મોબાઈલ ફોન સંદર્ભે પોલીસે જરૂરી કાર્યવાહી કરી, અને રૂપિયા દોઢ લાખની કિંમતના જુદા જુદા ફોન તેના […]
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાળલગ્નની માહિતી માટે હેલ્પલાઈન નંબર જાહેર
જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫ આગામી સમયમાં અક્ષય તૃતીયા (અખાત્રીજ)ના દિવસે રાજ્યમાં – વિવિધ સમાજોમાં અનેક લગ્ન યોજાતા હોય છે. જે સમયગાળા દરમ્યાન બાળલગ્નો થતાં અટકાવવાના આશયથી દેવભૂમિ દ્વારકા જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક કચેરી દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. સમૂહ લગ્નોના આયોજકો, સામાજિક આગેવાનો, ગોર મહારાજ, લગ્ન કરાવનાર, રસોઈયા, […]
Fire in Cemetery: ખંભાળિયાના ભાડથર ગામે સ્મશાનના લાકડામાં ભભૂકી ઉઠી આગ
જામ ખંભાળિયા, તા. ૦૮-૦૪-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે આજરોજ બપોરે સ્મશાનમાં રાખવામાં આવેલા લાકડામાં એકાએક આગ ભભૂકી ઉઠતા આ અંગેની જાણ સ્થાનિક રહીશો દ્વારા ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર સ્ટાફના જવાનોએ ફાયર ફાઈટર સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ અને પાણીનો મારો ચલાવીને […]
ખંભાળિયામાં પાલીકા દ્વારા સધન રાત્રી સફાઈ કામગીરી હાથ ધરાઈ
જામ ખંભાળિયા, તા. ૦૮-૦૪-૨૦૨૫ ખંભાળિયા શહેરમાં સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં દરરોજ સવારે થતી દૈનિક અને નિયમિત સફાઈ કામગીરી ઉપરાંત સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત વધુ 25 જેટલા સફાઈ કામદારોની વધુ સેવાઓ લઈ અને રાત્રિના સમયગાળા દરમિયાન શહેરના જુદા જુદા […]
ખંભાળિયા કબર વિસોત્રી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી વિદાય સમારોહ યોજાયો
જામ ખંભાળિયા, તા. ૦૮-૦૪-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના કબર વિસોત્રી ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળાના ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના બાળકોએ હોંશભેર જોડાઈને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે સાથે તેઓને ઉતરોતર […]
ખંભાળિયા નજીક ખાનગી કંપનીમાંથી કોપર વાયરની ચોરી
જામ ખંભાળિયા, તા. ૦૮-૦૪-૨૦૨૫ ખંભાળિયા – જામનગર માર્ગ પર કાઠી દેવળીયા ગામે આવેલી નયારા કંપનીમાં આવેલા પી.પી. પ્લાન્ટમાં આર.આર. કેબલ લિમિટેડ કંપનીનો આર્થિંગ માટેનો કોપર વાયર ગત તારીખ 1 એપ્રિલના રોજ કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ કંપની કર્મચારી અમૃતલાલ વેલજીભાઈ પટેલ દ્વારા અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. […]
કલ્યાણપુરમાં ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત: એક વ્યક્તિ ઈજાગ્રસ્ત
જામ ખંભાળિયા, તા. ૦૮-૦૪-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામ નજીક આજરોજ સવારે એક ટ્રેક્ટર અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ એક બાઈક અડફેટે ચડી જતા એક વ્યક્તિને ઇજાઓ થયાનું જાણવા મળ્યું છે. આ અંગે જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર નજીક આવેલા બાંકોડી ગામના પાટીયા પાસેથી જઈ રહેલા […]
રામનવમીના પવિત્ર પર્વે અમદાવાદના જગન્નાથજી મંદિરમાં ધર્મલાભ લેતા પરિમલ નથવાણી
જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા) રામનવમીના પવિત્ર દિને અમદાવાદ નગરના નાથ ભગવાન શ્રી જગન્નાથજીના મંદિરે રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર શ્રી પરિમલભાઈ નથવાણીએ દર્શનનો અનેરો લ્હાવો મેળવ્યો. આ અંગે શ્રી પરિમલભાઈએ જણાવ્યું હતું કે મારી આસ્થાના કેન્દ્રસ્થાને રહેલા ભગવાન જગન્નાથની સાથે ભાઈ બલભદ્રજી તથા […]
દેશના સૌથી ધનાટ્ય પરિવારના પુત્ર અનંત અંબાણીએ દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા સંપન્ન કરી
– દ્વારકા નગરી તેમજ આસપાસના વિસ્તારના રહેવાસીઓ દ્વારા હર્ષભેર વધામણાં – શારદાપીઠના નેતૃત્ત્વમાં તમામ જ્ઞાતિ-સમુદાયોએ અનંત અંબાણીને ભાવભેર વધાવ્યા જામ ખંભાળિયા, તા. ૦૬-૦૪-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા) સનાતન ધર્મ પર અતૂટ શ્રદ્ધા ધરાવતા દેશના સૌથી ધનાટ્ય પરિવાર મુકેશભાઈ અંબાણીના સુપુત્ર અનંત અંબાણી દ્વારા તેમના નિવાસસ્થાન રિલાયન્સ ગ્રીન્સથી રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિર સુધીની […]
