Sunday June 22, 2025

પતિની મશ્કરીથી મનમાં લાગી આવતા પત્નીએ આપઘાત કર્યો

કુંજન રાડિયા, કલ્યાણપુર        કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા સવિતાબેન જયંતીભાઈ નાથાભાઈ ચાવડા નામના 32 વર્ષના મહિલાએ રવિવારે પોતાના રહેણાંક મકાનમાં એસિડ પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.          સવિતાબેનના મોટાભાઈ અજયભાઈ તથા તેમના પત્ની અમીબેન તેમના ઘરે આવ્યા હતા. […]

ખંભાળિયામાં હાપી સામોર વાડી શાળાના આચાર્યનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૨-૨૦૨૫         ખંભાળિયા તાલુકામાં હાપી સામોર વાડી શાળાના આચાર્ય કૌશિકકુમાર પ્રજાપતિ વય મર્યાદાના કારણે સેવા નિવૃત્ત થતાં તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ કિશોરભાઈ મંડપિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં હરિપુર તાલુકા શાળાની પેટા શાળાનો સ્ટાફ, હાપી સામોર વાડી વિસ્તારના વાલીઓ તથા હરિપુરના ગ્રામજનો મોટી […]

ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડ માં જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં કિસાન સન્માન સમારોહ યોજાયો

– કિસાન સન્માન નિધિ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડુતોને 13.85 કરોડની રકમ બેક ખાતામાં ચૂકવાઈ –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૨-૨૦૨૫          પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19 મો હપ્તો સોમવારે બિહારના ભાગલપુર ખાતે આયોજીત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં ડિજિટલ માધ્યમથી જમા કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે […]

વિકસિત ભારત – શિક્ષિત ભારત અંતર્ગત દાંતા ગામમાં શિક્ષણ અને ગ્રામ વિકાસના રૂ. 48 લાખના વિકાસ કામનું ભૂમિપૂજન

કુંજન રાડિયા, દાંતા : તા. ૨૪-૦૨-૨૦૨૫         વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન મુજબ સરકારી શાળાઓ હવે ખાનગી શાળાઓ કરતાં વધુ આધુનિક બની રહી છે. ગુજરાત સરકારના સર્વ શિક્ષા અભિયાન અને નવી શિક્ષણ નીતિ અંતર્ગત રાજ્યભરમાં શૈક્ષણિક અને ગ્રામ વિકાસના મોટા કામો થય રહ્યા છે. તે અંતર્ગત  ખંભાળિયા […]

ખંભાળિયામાં સરકારી વસાહતમાં તસ્કરોનો હાથ ફેરો

જામ ખંભાળિયા        ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં લાલપુર રોડ ઉપર આવેલી જિલ્લા પંચાયત કચેરી સામે સરકારી વસાહતમાં બે દિવસ પૂર્વે તસ્કરોએ ખાતર પાડ્યું હતું. અહીં રહેતા મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વતની વિવેકકુમાર રાજેન્દ્રભાઈ વ્યાસ (ઉ.વ. 36) ના રહેણાંક મકાનના દરવાજાનો નકુચો તોડી અને તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો. અહીં રહેલા કુલ રૂપિયા 35,500 […]

લગ્ન ન થતા હોવાથી મોજપના યુવાને જિંદગી ટૂંકાવી

જામ ખંભાળિયા          ઓખા મંડળના મીઠાપુર તાબેના મોજપ ગામે રહેતા રાયધરભા ઉર્ફે બલી લધુભા કુંભાણી નામના આશરે 27 વર્ષના હિન્દુ વાઘેર યુવાન કોઈ કામ ધંધો ન કરતા હોય, તેના કારણે તેમના લગ્ન થતા ન હતા.          આ બાબતથી કંટાળીને તેમણે પોતાના હાથે કપડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ […]

ખંભાળિયાની લેબોરેટરીમાં થયેલી રોકડ રકમની ચોરી સંદર્ભે આરોપીને ઝડપી લેવાયો

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫         ખંભાળિયાના નવાપરા વિસ્તારમાં આવેલી શ્રેય લેબોરેટરીમાંથી તાજેતરમાં રોકડ રકમની ચોરી સંદર્ભેનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. આ પ્રકરણમાં એલ.સી.બી. પી.આઈ કે.કે. ગોહિલના વડપણ હેઠળ હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં એ.એસ.આઈ. સજુભા જાડેજા, ડાડુભાઈ જોગલ, જેસલસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીંના લુહાર શાળ વિસ્તારમાં રહેતા […]

ખંભાળિયાના યાર્ડ ખાતે આજે “કિસાન સન્માન સમારોહ” યોજાશે

જામ ખંભાળિયા        રાજ્યમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આગામી સોમવાર તા. 24 ના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ખંભાળિયામાં માર્કેટિંગ યાર્ડ ખાતે બપોરે 1 વાગ્યે જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાશે. જેમાં કૃષિ વૈજ્ઞાનિકો, અધિકારીઓ, પદાધિકારીઓ, ખેડૂતો તેમજ પશુપાલકો જોડાશે. ____________________________________________________________________________ (કુંજન રાડિયા)

ખંભાળિયામાં શિવરાત્રી પર્વને અનુલક્ષીને ખામનાથ નજીકનો કેનેડી બ્રિજ ખુલ્લો કરવા શ્રદ્ધાળુઓની માંગ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા        ખંભાળિયા શહેરના પાદરમાં આવેલા ખામનાથ બ્રિજ નજીક રજવાડાના સમયનો કેનેડી બ્રિજ (ખામનાથ પુલ) જર્જરિત બની ગયો હોવાથી તંત્ર દ્વારા આ પુલ પર અવર-જવર માટે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે આગામી તારીખ 26 ના રોજ શિવરાત્રી પર્વ નિમિત્તે પુરાણ પ્રસિદ્ધ એવા ખામનાથ મહાદેવ મંદિર નજીકના આ કેનેડી બ્રિજને […]

દ્વારકાધીશ મંદિરે સ્વર્ગ દ્વાર છપ્પન સીડી પર તડકાથી બચવા ઓવરહેડ શેડ – નેટની સુવિધા ઊભી કરવા માંગ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫          યાત્રાધામ દ્વારકામાં છપ્પન સીડી સ્વર્ગ દ્વારેથી જગતમંદિરે આવતા યાત્રીકોને ધોમધખતા તાપ સામે રક્ષણ મળે તે હેતુ ઓવરહેડ શેડ – નેટ બાંધી છાંયડાની વ્યવસ્થા કરવા ન્યૂ વેપારી મંડળ દ્વારા દેવસ્થાન સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.          આગામી માળથી દ્વારકાધીશ […]

Back to Top