Sunday June 22, 2025

નંદાણા ગામેથી દસ વર્ષ પૂર્વેના બોકસાઈટની ચોરીના કેસમાં બે આરોપીઓને ત્રણ વર્ષની સજા ફટકારાઈ

– રૂ. 20 હજારનો દંડ ફટકારતી ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલત – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫       કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા નીતિન પાલાભાઈ ચાવડા અને ભાવેશ વિક્રમશીભાઈ ચાવડા નામના બે શખ્સો દ્વારા તારીખ 23 નવેમ્બર 2015 ના રોજ કલ્યાણપુર તાલુકાના ભાટિયા અને ભોગાત ગામ વચ્ચે ડમ્પરમાં બોકસાઈટ ભરીને નીકળતા આ અંગે […]

ખંભાળિયાની લેબોરેટરીમાંથી રોકડની ચોરી

જામ ખંભાળિયા       ખંભાળિયા માં નવાપરા શેરી નં. 2 ખાતે આવેલી શ્રેય લેબોરેટરીના ટેબલના ખાનામાંથી કોઈ તસ્કરો રૂપિયા 17,000 ની રોકડ રકમ ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ રાહુલભાઈ નરેન્દ્રભાઈ વ્યાસ (ઉ.વ. 45, રહે. ગાયત્રીનગર) દ્વારા અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

ઓખામાં પરપ્રાંતિય માછીમાર યુવાનનો આપઘાત

ઓખા         મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લાના તલાસરી તાલુકામાં રહેતા સંતોષભાઈ જેઠુભાઈ દદોડા નામના 45 વર્ષના મરાઠી માછીમાર યુવાને ઓખામાં જીલાની ફૂડ નામના દંગાના રૂમમાં આવેલા પંખાના હુકમાં બ્લેન્કેટ બાંધીને ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ સંદીપભાઈ દેવુભાઈ ફરલે ઓખા મરીન પોલીસને કરી છે. 

અવસાન નોંધ: પ્રાર્થનાસભા: કાનાણી

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૫ મીઠાપુર નિવાસી પ્રવીણચંદ્ર નરશીદાસ કાનાણી (મૂળ જામ ખંભાળિયા વાળા, ઉ.વ. 85) તે ભાવેશભાઈ કાનાણી (જલારામ જનરલ સ્ટોર, મીઠાપુર) તથા સ્વ. રાજેશભાઈ તેમજ મીતાબેન વિનયકુમાર સેજપાલ (રાજકોટ) અને દીપીકાબેન અમિતકુમાર સેજપાલ (રાજકોટ) ના પિતાશ્રી તેમજ ધરાબેન ભાવેશભાઈ કાનાણીના સસરા તથા આયુષ અને ભવ્યાના દાદા તેમજ સ્વ. રણછોડદાસ જેરામભાઈ ગોકાણી (મીઠાપુર વાળા)ના જમાઈ […]

સૂફી સંત શંકરડાડાની પુણ્યતિથિ નિમિતે સલાયા અગ્રણી લાલજીભાઈ દ્વારા ડાડાને ચાદર ચડાવાશે

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫           ખંભાળિયા નજીકના કુવાડિવા ગામના પાટીયા પાસે આવેલા અને શ્રધ્ધા તથા આસ્થાના કેન્દ્ર સમાન સૂફી સંત શ્રી શંકરડાડાની પવિત્ર તથા પૌરાણિક જગ્યામાં આગામી મંગળવાર તારીખ 25 ના રોજ પૂ. શંકર ડાડાની 37 મી પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયા તાલુકાના સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભુવા દ્વારા તારીખ સાંજે 7 […]

ખંભાળિયાથી પ્રયાગરાજ મહાકુંભ માટે પ્રસ્થાન કરતા ભક્તોને વિદાયમાન અપાયું

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫            હિન્દુ ધર્મના આસ્થા અને સનાતન ધર્મના પ્રતીક સમાન પ્રયાગરાજના મહાકુંભમાં સ્નાન કરવા ખંભાળિયા સહિત સમગ્ર પંથકના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગયા હતા અને શ્રદ્ધાની ડૂબકી મારી હતી. આ સાથે આજરોજ ખંભાળિયા શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, કિશાન મોરચા પ્રમુખ માનભા જાડેજા, શૈલેષ જગતિયા, નિકુંજભાઈ વ્યાસ, […]

ખંભાળિયામાં સોમવારે ઔદ્યોગિક ભરતીમેળો

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૫          દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરી તેમજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના સંયુક્ત ઉપક્રમે આગામી સોમવાર તારીખ 24 મીના રોજ સવારે 10:30 વાગ્યે ખંભાળિયામાં સ્ટેશન રોડ પર આવેલી જી.વી.જે. હાઈસ્કૂલ પરિસરમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે નોકરીદાતા તથા રોજગાર ઈચ્છુક વચ્ચે સેતુરૂપ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે. […]

ખંભાળિયામાં જલારામ પુણ્યતિથિ નિમિત્તે આજે મહિલા સંસ્થાઓ દ્વારા રોટલાના અન્નકૂટના દર્શન કુંજન રાડિયા, જામ ખંભાળિયા,        સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 144 મી પુણ્યતિથિ નિમિત્તે આગામી રવિવાર તારીખ 23 મીના રોજ ખંભાળિયા લોહાણા મહિલા મિત્ર મંડળ દ્વારા સૌ પ્રથમ વખત અહીંના જલારામ મંદિર ખાતે વિવિધ પ્રકારના રોટલાના અન્નકૂટના દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું […]

ભાણવડમાં શિવ બળદ આશ્રમની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૫           ભાણવડ ખાતે છેલ્લા આશરે દોઢ દાયકાથી અબોલ જીવોની સેવા માટે કાર્યરત એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિ ખૂબ પ્રશંસનીય બની રહી છે. ત્યારે આ સંસ્થા દ્વારા છેલ્લા બે વર્ષથી લાખાણી પરિવારના સહયોગથી સેવા અર્થે ઉપયોગ માટે પ્રાપ્ત થયેલી જગ્યા પર શિવ બળદ આશ્રમ શરૂ […]

કલ્યાણપુર પંથકમાં દરિયાઈ રેતી ચોરી પ્રકરણમાં આરોપીને ત્રણ વર્ષની સખત કેદ તથા દંડ

– જિલ્લામાં દરિયાઈ રેતી ચોરી પ્રકરણમાં સૌપ્રથમ વખત સજાનો હુકમ –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧- ૦૨- ૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર મોહમ્મદ સોહેલ ઝાકીરહુસેન મેમણ તથા તેમની ટીમ દ્વારા ગત તારીખ 8 માર્ચ 2020 ના રોજ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેમત રામદે […]

Back to Top