Friday June 20, 2025

પહેલગામના હુમલા અંગે ખંભાળિયામાં આતંકવાદનું પૂતળાં દહન કરાયું

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૪-૨૦૨૫      જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે મંગળવારે ધર્મ પૂછીને અનેક હિન્દુ લોકોની ગોળી મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ જધન્ય બનાવના સમગ્ર દેશમાં અને હિન્દુ સમાજમાં આક્રોશ વ્યાપ્યો છે.      આ હિચકારા બનાવને અનુલક્ષીને ખંભાળિયામાં જોધપુર ગેઈટ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આતંકવાદના પૂતળાનું દહન કરી, […]

ઓખા માં ટાટા અને આરએસપીએલ ઘડી કંપની સામે વિરોધનો વંટોળઓખા મંડળના જળ, જમીન, જંગલ, જળ સ્તર અને દરિયામાં પ્રદૂષણ અટકાવવાની માંગઓખા માં ટાટા અને આરએસપીએલ ઘડી કંપની સામે વિરોધનો વંટોળ

– ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર –  – સરકાર સામે ભૂંગળા વગાડી, તાળી, થાળી વગાડી અનોખો કાર્યક્રમ યોજાયો –  – ખાનગી કંપની દ્વારા જમીન અને દરિયો પ્રદુષિત કરાતા હોવાની ફરિયાદ કુંજન રાડિયા –જામ ખંભાળિયા, તા. ૨૩-૦૪-૨૦૨૫         ઓખા મંડળ તાલુકામાં ખાનગી કંપનીઓ દ્વારા પ્રદુષણના કારણે જળ, જંગલ, જમીન, ખેડૂતોના […]

કાલે વિશ્વ પુસ્તક દિવસ: ખંભાળિયાના સાહિત્ય-વાંચન પ્રેમીઓ માટે બનશે સુવિધાસભર ગ્રંથાલય

– રૂપિયા 6 કરોડના ખર્ચે ગ્રંથાલયનું આયોજન –  જામ ખંભાળિયા, તા. ૨૨-૦૪-૨૦૨૫       વિશ્વભરમાં પુસ્તકોના વાંચનને પ્રોત્સાહન આપવા તથા વાંચન પ્રત્યેની જાગૃતિ કેળવવા દર વર્ષ 23 એપ્રિલના રોજ વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એમ કહેવાય છે કે સારા પુસ્તકો જેવો કોઈ કાયમી મિત્ર નથી હોતો.     આજે વિશ્વ પુસ્તક દિવસ […]

હરીપર નજીક બાઇક આડે ગાય ઉતરતા અકસ્માત: સલાયાના યુવાનનું મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૪-૨૦૨૫        ખંભાળિયા તાલુકાના સલાયા ગામે મદીના ચોક ખાતે રહેતા અલ્તાફભાઈ સલીમભાઈ સૈયદ નામના 24 વર્ષના યુવાન ગઈકાલે સોમવારે રાત્રિના સમયે તેમના મિત્ર હાસમ ઉર્ફે સાહેલ રજાકભાઈ મોખા (ઉ.વ. 21, રહે. સલાયા) સાથે મોટરસાયકલ પર બેસીને સલાયાથી ખંભાળિયા તરફ આવી રહ્યા હતા. ત્યારે અત્રેથી આશરે પાંચ કિલોમીટર દૂર હરીપર ગામ […]

ખંભાળિયાની નાલંદા પ્રાથમિક શાળામાં વાર્ષિક મહોત્સવ તેમજ વિદાય સમારોહ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૪-૨૦૨૫        ખંભાળિયામાં આવેલી નાલંદા પ્રાથમિક શાળા ખાતે તાજેતરમાં વાર્ષિક કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તેમજ વાર્ષિક મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે બાળકોએ દેશભક્તિના ગીતો તેમજ અન્ય પ્રસંગ અનેક કૃતિઓ રજૂ કરી હતી. ઉપરાંત વિષયને અનુરૂપ વક્તવ્ય પણ આપ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોએ સુંદર શૈક્ષણિક નાટ્યકૃતિઓ પણ રજૂ કરી હતી. […]

ના, તમે નહીં ગણાઓ : રાજ્યમાં સંભવિત તા. 10 થી 13 મે દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી યોજાશે

– રાજ્યમાં 16 મો સિંહ વસ્તી અંદાજ –  – 11 જિલ્લાનો 35 હજાર ચો.કિ.મી. વિસ્તાર ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી સાંકળી લેવાશે –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૪-૨૦૨૫           સિંહ, સાવજ, ઊંટિયો વાઘ, બબ્બર શેર, કેસરી, ડાલામત્થો જેવા ઉપનામોથી ઓળખાતા એશિયાઈ સિંહ એ આખા વિશ્વમાં માત્ર ગુજરાતનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર […]

દ્વારકામાં સોમવારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૪-૨૦૨૫        દેવભૂમિ દ્વારકામાં જલારામ મંદિર પાસે આવેલા શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આગામી સોમવાર તારીખ 21 મી થી રવિવાર તારીખ 27મી સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચંદ્રેશભાઈ જે. અત્રિ વ્યાસાસને બિરાજી અને તેમની સંગીતમય શૈલીમાં કથામૃતનું રસપાન કરાવશે.         સર્વે પિતૃઓના […]

દ્વારકાની ગોમતી નદીમાં બે યાત્રિક યુવાનો ડૂબ્યા

– સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક પાણીમાં કૂદીને ડૂબતા યુવાનોને બચાવ્યા – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૪-૨૦૨૫          યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં યાત્રાળુ ભગવાન દ્વારકાધીશના દર્શને આવતા હોય છે. ત્યારે પવિત્ર ગોમતી નદીમાં સ્નાન પણ કરતા હોય છે. પરંતુ ગોમતી નદી દરિયા સાથે સંકળાયેલ હોય, ગોમતી નદી અંદર દરિયાનો પાણીનો પ્રવાહ ખૂબ […]

ખંભાળિયામાંથી ઝડપાયો નકલી સી.આઈ.ડી. ઓફિસર: કાર, દારૂ સહિત 11.15 લાખના મુદ્દામાલ સાથે કોઠ-ગાંગડના બે ઝબ્બે

– હાઈવે પર ટ્રાફિક પોલીસના પેટ્રોલિંગ દરમિયાન લાલ લાઈટવાળી કાર સાથે નકલી અધિકારી ઝબ્બે –  Kunjan Radiya, જામ ખંભાળિયા, તા. ૧૯-૦૪-૨૦૩૫        ખંભાળિયા – જામનગર હાઈવે માર્ગ પર આજરોજ ચઢતા પહોરે ટ્રાફિક પોલીસના પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં નીકળેલી લાલ લાઈટવાળી સ્કોર્પિયો મોટરકારમાંથી નકલી સી.આઈ.ડી. અધિકારી તેમજ અન્ય એક શખ્સને ઝડપી લેવામાં આવ્યા હતા. […]

ખંભાળિયા: ભરણપોષણ કેસના આરોપીને ઝડપી લેવાયો

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૫         ખંભાળિયાની વ્રજધામ સોસાયટી વિસ્તારમાં રહેતા સાગર દિલીપભાઈ બલભદ્ર નામના 37 વર્ષના યુવાન સામે અગાઉ ફેમિલી કોર્ટમાં ભરણપોષણ અંગેનો કેસ થયેલ હોય અને આ કેસ ચાલી જતા ગત તારીખ 20 ફેબ્રુઆરી 2025 ના રોજ નામદાર અદાલતે આરોપીને 160 દિવસની સાદી કેદ તેમજ 64 હજાર રૂપિયા અરજદારને જેલ ઓથોરિટીને […]

Back to Top