Headlines

ખંભાળિયા રેવન્યુ પ્રેક્ટિસનર્સ એસોસિએશનના હોદ્દેદારોની બિનહરીફ વરણી: પ્રમુખ તરીકે સંજય આંબલિયા બિનહરીફ જાહેર

– કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૨-૦૨-૨૦૨૫       ખંભાળિયાના રેવન્યુ પ્રેક્ટિસનર્સ (એડવોકેટ) એસોસિએશનએ અત્રેની મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, કલેકટર કચેરી અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં પ્રેક્ટિસ કરતા બધા વકીલોનું એક સંગઠન છે. જેમાં આ સંગઠન દ્વારા વકીલો અને અરજદારોને કોઈ તકલીફ ન પડે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ સારી રીતે લાવી શકીએ તે હેતુથી આ…

Read More

ખંભાળિયામાં વિશ્વકર્મા જયંતીની તા. 10 ના રોજ થશે ભવ્ય ઉજવણી: આરતી, પાટોત્સવ, ધ્વજારોહણ, સન્માન સહિતના કાર્યક્રમો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા,     ખંભાળિયામાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આગામી તા. 10 ના રોજ સૃષ્ટિના સર્જનહાર એવા શ્રી વિશ્વકર્મા પ્રભુના પ્રાગટ્ય દિવસ શ્રી વિશ્વકર્મા જયંતી ખુબ ધામધુમથી ઉજવવાની તડામાર તૈયારીઓ કરાઇ રહી છે. જેમાં મંગળા આરતી, પાટોત્સવ હવન, ધ્વજારોહણ, દાતાઓનું સન્માન, સમુહ મહાપ્રસાદ, વિદ્યાર્થી સન્માન, સંધ્યા મહા આરતી, સંધ્યા સમુહ ભોજન તથા…

Read More

સલાયા નગરપાલિકાની ચૂંટણી માટે ખંભાળિયામાં કંટ્રોલ રૂમ કાર્યરત

કુંજન રાડિયા, જામ ખંભાળિયા        દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાની સલાયા, દ્વારકા અને ભાણવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા ખંભાળિયા તાલુકા પંચાયતની ભરાણા અને કલ્યાણપુર તાલુકા પંચાયતની જુવાનપુરની ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી અંતર્ગત મતદાન તા. 16 ફેબ્રુઆરીના રોજ થનાર છે.         દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ…

Read More

ઓખા મંડળના નિર્જન ટાપુઓમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ: ફિશીંગ બોટ સંદર્ભે પણ તપાસ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા        પશ્ચિમના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંવેદનશીલ વિસ્તાર દરિયાઈ વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી સધન તપાસ, ચેકિંગ તેમજ ડિમોલિશન અંગેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તાજેતરમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ઓખા મરીન પોલીસ મથકના સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને દેવભૂમિ…

Read More

કાર મચાયે શોર: ખંભાળિયાના રહેણાંક વિસ્તારમાં પીધેલી હાલતમાં કાર ચાલકનો અકસ્માત

લક્ઝરી કાર ઝાડ સાથે અથડાવતા મોટી દુર્ઘટના અટકી કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૫         ખંભાળિયાના બંગલાવાડી વિસ્તારમાં ગતરાત્રે કેફી પીણું પીધેલી હાલતમાં લક્ઝરી કાર લઈને નીકળેલા એક નબીરાએ ઝાડ સાથે અકસ્માત સર્જ્યો હતો. આ બનાવમાં સદભાગ્યે કોઈ મોટી દુર્ઘટના બનતી અટકી હતી. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો…

Read More

કલ્યાણપુરમાં સ્વતંત્ર માલિકીની જમીનમાં ગેરકાયદેસર રીતે ખનીજ ખનન સબબ બે આરોપીઓને કેદ તથા દંડ

– લીઝ પરવાના વગર ગેરકાયદેસર રીતે 16 વર્ષ પૂર્વેના કેસનો ચુકાદો – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૫       કલ્યાણપુર પંથકમાં આજથી આશરે 16 વર્ષ પૂર્વે જુદા જુદા બે આસામીઓએ તેમની ખેતીની જમીનમાં પરવાનગી વગર ગેરકાયદેસર રીતે બોકસાઈટનું ખનન કરતા આ પ્રકરણમાં કુલ રૂપિયા 5.14 કરોડની ખનીજ ચોરીમાં ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલતે બંને…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટાર્ગેટેડ કેસોનું ઝડપી કાયમી નિવારણ માટે સ્પેશિયલ લોક અદાલતનું આયોજન

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૫              દેવભૂમિ દ્વારકા જિલ્લાના એડમિનિસ્ટ્રેટિવ જસ્ટીસ શ્રી એચ.એસ. પ્રચ્છકના માર્ગદર્શન અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી શ્રી આર.એ. ત્રિવેદીની સીધી દેખરેખ હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન શ્રી એસ.વી. વ્યાસ દ્વારા આગામી શનિવાર તારીખ ૮ મી ના રોજ સમગ્ર જિલ્લામાં…

Read More

પિક્ચર અભી બાકી હૈ… બેટ દ્વારકામાં હાઇકોર્ટનો સ્ટે ઉઠી જતા પુનઃ દબાણ હટાવ કામગીરી હાથ ધરતું સરકારી તંત્ર

– સાડા છ હજાર ચોરસ ફૂટ જગ્યા પરનું દબાણ ધ્વસ્ત કરાયું – – હજુ કામગીરી જારી રહેશે: એસ.ડી.એમ. – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૪       દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં ગત તારીખ 11 મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનમાં આઠ દિવસની કામગીરીમાં 525 જેટલા દબાણો દૂર કરાયા છે. ત્યારે કેટલાક સ્થળોએ અગાઉ હાઈકોર્ટ…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ 27 ફેબ્રુઆરીના રોજ યોજાશે

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૫        લોકોના પ્રશ્નો, ફરિયાદો કે રજૂઆતો સ્થાનિક કક્ષાએ જ અસરકારક અને ન્યાયપૂર્ણ રીતે હલ રીતે થઈ શકે તે હેતુથી જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ફેબ્રુઆરી માસનો સ્વાગત કાર્યક્રમ તા. 27 ના રોજ સવારે 11 વાગ્યે ખંભાળિયાની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાશે.         જિલ્લા…

Read More

ગુજરાતનો વીજ પુરવઠામાં વર્ષ 2020 અને 2024 વચ્ચે 28 ટકાનો થયો વધારો

– ભારતની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા 2031-32માં 900 ગીગાવોટ થવાની સંભાવના: રાજ્ય કક્ષાના ઊર્જા મંત્રી – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા)          ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં વીજ પુરવઠામાં વધારો જોવા મળ્યો છે. જેના કારણમાં રાજ્યમાં વીજ પુરવઠો નાણાકીય વર્ષ 2020માં 1,13,939 મિલિયન યુનિટથી 28 ટકા જેટલો વધીને વર્ષ 2024માં 1,45,740…

Read More