Saturday June 21, 2025

પૂ. જલારામ બાપા વિશે અશોભનીય કથનનો કોઈને અધિકાર નથી: પરિમલ નથવાણી

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫         સંત શિરોમણી પૂ. જલારામ બાપાને માત્ર લોહાણા સમાજના જ નહીં, પરંતુ સમગ્ર હિન્દુ સમાજ ભગવાન માને છે. તેમનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી તેમ જણાવી, ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ તાજેતરના એક વ્યક્તિ દ્વારા કરાયેલા પૂ. જલારામ બાપા વિશેના કથનને વખોડી કાઢ્યા છે.   […]

ગુજરાતમાં મોટી સંખ્યામાં આચાર્યોની જગ્યાઓ ખાલી

– સરકાર દ્વારા કારણોનું ચિંતન, મનન અનિવાર્ય –  જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫      ગુજરાતમાં 900 જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની જગ્યાઓ ખાલી છે. તેના કહેવાતા મુખ્ય કારણ મુજબ સરકાર દ્વારા તાજેતરમાં જ ભરતી કરવામાં આવી, તેમ છતાં આટલી જગ્યાઓ ખાલી રહેવાનું કારણ જાણી તેનું નિરાકરણ લાવવાની તાતી જરૂરિયાત છે.       […]

દેવભૂમિ દ્વારકા જિલ્લાનો દરિયો તોફાની રહેવાની શક્યતા: માછીમારોને સાવચેત કરાયા

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૫          હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. 4 થી તા. 8 માર્ચ સુધી દરિયામાં પવનની ઝડપ 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની તેમજ આ ઝડપ વધીને 55 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે જેના કારણે દરિયો એકદમ તોફાની બની રહેશે તેવી શક્યતાને ધ્યાને લઈ, અને […]

દ્વારકા જિલ્લામાં ધાર્મિક દબાણ અંગે તંત્ર સમક્ષ જરૂરી અરજી પણ થઈ શકે છે: પ્રાંત અધિકારી

– ડિમોલિશનની વહેતી અફવાઓ અંગે પ્રાંત અધિકારીની સ્પષ્ટતા –  જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા, ભાણવડ તથા કલ્યાણપુર તાલુકામાં તાજેતરમાં સ્થાનિક મામલતદાર દ્વારા ધાર્મિક સ્થળોની યાદી બહાર પાડીને આની સામે કાર્યવાહી કરવા અંગેની નોટિસ જાહેર કરી અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.          આ મુદ્દે સમગ્ર જિલ્લામાં ભારે ઉહાપોહ […]

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ત્રણ નગરપાલિકાઓના હોદ્દેદારો વરાયા

– પ્રમુખ તરીકે દ્વારકામાં કોમલબેન, સલાયામાં જુલેખાબેન અને ભાણવડમાં પ્રિયેશભાઈ ઉનડકટ – જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં યોજાઈ ગયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દ્વારકા, સલાયા તેમજ ભાણવડમાં એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન અને મતગણતરીની પ્રક્રિયા સંપન્ન થઈ હતી. જેમાં દ્વારકા અને ભાણવડમાં ભાજપની નોંધપાત્ર જીત જ્યારે સલાયામાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો […]

કલ્યાણપુર નજીક કારની ઠોકરે બુલેટ સવાર દંપતિ ઇજાગ્રસ્ત

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫        કલ્યાણપુરથી આશરે 30 કિલોમીટર દૂર લીંબડી ગામ નજીક આવેલા હાઈ-વે માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 10 સી.એન. 5083 નંબરની વર્ના મોટરકારના ચાલકે આ માર્ગ પર બુલેટ મોટરસાયકલ પર જઈ રહેલા દેવાભાઈ સોનગરા તથા તેમના પત્ની વીરૂબેન દેવાભાઈ સોનગરાને અડફેટે લેતા તેઓને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં […]

પાસામાં અંદર થયો: સુરજકરાડીના માથાભારે મનુષ્ય રાકેશ રોશિયાને પોલીસે કઈ જેલમાં મૂક્યો?

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૫          ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતો રાકેશ ધનાભાઈ રોશિયા નામનો 32 વર્ષનો શખ્સ છેલ્લા કેટલાક સમયથી વિવિધ પ્રકારના ગુનાઓ સાથે સંડોવાયેલો હતો. જેની સામે સમયાંતરે નોંધાયેલી ફરિયાદો અન્વયે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા માથાભારે શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે એલ.સી.બી. પોલીસને આપવામાં આવેલી […]

શેર બજારમાં પ્રોફિટની લાલચ આપીને દ્વારકા જિલ્લાના આસામી સાથે છેતરપિંડી કરનાર પાટણનો આરોપી ઝડપાયો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતા એક આસામીને શેરબજારમાં રોકાણની લાલચ આપીને છેતરપિંડી કરવાના ગુનામાં સાયબર ક્રાઇમ પોલીસે પાટણ જિલ્લાના સાંતલપુર વિસ્તારમાં રહેતા એક શખ્સને દબોચી લીધો હતો.          આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતા […]

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મંદિરો સહિતના ધાર્મિક સ્થળોના દબાણો દૂર કરવા અંગેની નોટિસોથી ભારે ચકચાર

– ધાર્મિક સિવાય અન્ય કોઈ દબાણો નડતરરૂપ નહીં હોય ?: વ્યાપક ચર્ચા – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૫         હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં દાખલ થયેલી લીટીગેશનના સંદર્ભમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ભાણવડ અને કલ્યાણપુર તાલુકાના મામલતદાર દ્વારા વિવિધ પ્રકારના નડતર રૂપ ધાર્મિક સ્થળોના દબાણો 15 દિવસમાં દૂર કરવા માટેની નોટિસો આપવામાં […]

દ્વારકા જિલ્લામાં ધાર્મિક સ્થળોને નોટિસ અપાતા કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

– અનેક ધાર્મિક સ્થળો આઝાદી પહેલાના છે –  – કેટલાક ધાર્મિક સ્થળોમાં સરકારે પોતે ગ્રાન્ટ વાપરી છે: પાલભાઈ –  – શહેરોમાં કિંમતી જમીન પરના દબાણ દૂર કરવાથી શરૂઆત કરવા માંગ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાં આશરે 200 જેટલા ધર્મ સ્થળો ને કથિત રીતે ગેરકાયદેસર દબાણ […]

Back to Top