Friday June 20, 2025

કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ સાથે સહાય

હરેશ જોષી, મહુવા જીવ ગુમાવનારનાં પરિવારજનોને સંવેદના સાથે રૂપિયા ૨૫ હજાર લેખે રૂપિયા ૨ લાખ સહાયતા કાશ્મીર પ્રદેશમાં બે દિવસ પહેલાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. આ આપદામાં જીવ ગુમાવનારનાં પરિવારજનોને સંવેદના સાથે રૂપિયા ૨૫ હજાર લેખે રૂપિયા ૨ લાખ સહાયતા આપવામાં આવશે. છેલ્લાં બે દિવસ દરમિયાન કાશ્મીર સહિત […]

પહેલગામના હુમલા અંગે ખંભાળિયામાં આતંકવાદનું પૂતળાં દહન કરાયું

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૪-૨૦૨૫      જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે મંગળવારે ધર્મ પૂછીને અનેક હિન્દુ લોકોની ગોળી મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ જધન્ય બનાવના સમગ્ર દેશમાં અને હિન્દુ સમાજમાં આક્રોશ વ્યાપ્યો છે.      આ હિચકારા બનાવને અનુલક્ષીને ખંભાળિયામાં જોધપુર ગેઈટ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આતંકવાદના પૂતળાનું દહન કરી, […]

શ્રીનગરનું એક આકર્ષણ તુલીપ બાગ

Mukesh Pandit Lens મૂકેશ પંડિત, શ્રીનગર પહાડી, ખીણ અને ઝરણાઓ તથા બગીચાઓ માટે કાશ્મીર વિશ્વભરનું આકર્ષણ રહેલ છે. શ્રીનગરમાં હાલ કમોસમી વરસાદ પડી રહ્યો છે, આમ છતાં પ્રવાસીઓ ભરપૂર રહેલાં છે. આ નગરનાં અનેક આકર્ષણમાં એક આકર્ષણ છે તુલીપ બાગ… તુલીપ એક ફૂલનો પ્રકાર છે. આ તુલીપ બાગ વર્ષમાં માત્ર પોણા માસ પૂરતો જ ખુલ્લો […]

રેલવે દ્વારા ચિનાબ બ્રિજ સાથે કાશ્મીરની સફરને એલિવેટીંગ

શંભુ સિંહ, ભાવનગર જ્યાં બરફથી ઢંકાયેલા શિખરો આકાશને મળે છે અને ચિનાબ નદી પૃથ્વીમાં ઊંડાણમા વહે છે, ત્યાં ભારતે સ્ટીલમાં પોતાનો સંકલ્પ કોતર્યો છે. ચેનાબ બ્રિજ, જે હવે વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે બ્રિજ છે, જે નદીના તળિયાથી 359 મીટર ઊંચો છે, તે એન્જિનિયરિંગ શ્રેષ્ઠતા અને રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાનું પ્રતીક છે. ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટનો ભાગ, […]

ડીસામાં ફેક્ટરી દુર્ઘટનામાં, જમ્મુમાં તેમજ અન્યત્ર અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ સાથે સહાય

હરેશ જોષી, મહુવા બનાસકાંઠાના ડીસામાં એક ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર 21 લોકોના કરુણ મોત નિપજયા છે. ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો અને તેને કારણે ગોડાઉનમાં આગ લાગી હતી. બ્લાસ્ટ એટલો બધો ભારે હતો કે મનુષ્ય શરીરનાં ફૂરચા ઉડી ગયા હતા અને તેમનાં અંગો દુર સુધી ફંગોળાઇ […]

હવે કટરાથી શ્રીનગરની મુસાફરીમાં ફક્ત ૩ કલાક લાગશે.

વંદે ભારત સાથે આ રૂટ પર મુસાફરી હવે સરળ બનશે. શંભુ સિંહ, ભાવનગર .USBRL પ્રોજેક્ટ પછી, ઘણા વર્ષોની રાહનો અંત આવશે. જમ્મુ અને શ્રીનગર વચ્ચે વંદે ભારત ચલાવવાથી ઘણા કલાકોનો સમય બચશે. કટરાથી શ્રીનગરની મુસાફરી હવે ફક્ત 3 કલાકમાં થશે. હાલમાં રોડ માર્ગે મુસાફરી કરવામાં 6 થી 7 કલાક લાગે છે. હાલમાં,કટરા અને શ્રીનગર વચ્ચે […]

Back to Top