Saturday July 26, 2025

દ્વારકાના હાથી ગેઈટ ખાતે શ્રીકૃષ્ણ અને રુક્મણીજીની શોભાયાત્રાનું ભક્તજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

– ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણીજીનો સત્કાર સમારોહ – – પરંપરાગત વિધિથી શ્રીકૃષ્ણ – રુક્મણીજીનું સામૈયું કરાયું –  Kunjan Radiya, જામ ખંભાળિયા, તા. ૧૦-૦૪-૨૦૨૫         માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મણીજીના વિવાહ પૂર્ણ થયા બાદ આજે દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણ – દેવી રુક્મણીજી સત્કાર સમારોહના ભાગરૂપે શોભાયાત્રા યોજાઇ હતી. […]

જન્મદિવસ શુભેચ્છા: દેવભૂમિ દ્વારકા ભાજપના જિલ્લા મહામંત્રી યુવરાજસિંહ વાઢેરનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૪-૨૦૨૫       દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના નાના એવા આરંભડા ગામે તા. 11 એપ્રિલના રોજ જન્મેલા યુવરાજસિંહ બનેસિંહ વાઢેર નાની ઉંમરમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર છ ના પ્રમુખ તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી. ત્યાર બાદ ઓખા શહેર યુવા ભાજપના મહામંત્રી, જામનગર જિલ્લા યુવા ભાજપના મંત્રી તેમજ ઓખા શહેર ભાજપના […]

મોગલધામ ભગુડાનાં 5,000થી વધુ સ્વયંસેવકો, ભાવિકોએ સોમનાથ, દ્વારકા અને ભીમરાણાની માણી તીર્થ યાત્રા

લોકસાહિત્યકાર માયાભાઈ આહિર પ્રેરિત યાત્રા સાથે જોડાયાં અગ્રણીઓ – દ્વારકામાં યોજાયો લોકડાયરો મૂકેશ પંડિત, ભગુડા શક્તિ સ્થાનક માંગલધામ ભગુડાનાં પાંચ હજારથી વધુ સ્વયંસેવકો અને ભાવિકોએ સોમનાથ, દ્વારકા અને ભીમરાણાની તીર્થ યાત્રા માણી છે. લોકસાહિત્યકાર માયાભાઈ આહિર પ્રેરિત યાત્રા સાથે અગ્રણીઓ પણ જોડાયાં હતા. આ દરમિયાન દ્વારકામાં લોકડાયરો યોજાયો હતો. ગોહિલવાડનાં સુપ્રસિદ્ધ શક્તિસ્થાનક માંગલધામ સાથેનાં પાંચ […]

ખંભાળિયામાં જલારામ મંદિર ખાતે છાશ વિતરણ કેન્દ્રનો “પાણીદાર” પ્રારંભ

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૪-૨૦૨૫     ખંભાળિયાના સુપ્રસિદ્ધ શ્રી જલારામ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ જરૂરિયાતમંદ પરિવારોની સેવાના આશય સાથે વિના મૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવેલ છે.        હાલ કાળઝાળ ગરમીમાં જરૂરિયાતમંદ પરિવારોને રાહત મળી રહે તે હેતુથી શરૂ કરવામાં આવેલી આ સેવા પ્રવૃત્તિના પ્રારંભ પ્રસંગે સંસ્થાના પ્રમુખ […]

ભજન સમ્રાટ નારાયણ સ્વામીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તેમના વતન  આકડીયા ગામે થશે

વિપુલ હિરાણી, ભાવનગર તા.૧૦સમગ્ર ગુજરાત સહિત ભારત દેશ અને વિશ્વના ફલક પર ભજન અને સંતવાણી ને પોતાના સુર થી પ્રચલીત કરતા ભજન સમ્રાટ નારાયણ સ્વામી સૌરાષ્ટ્ નું એક ઘરેણું હતા, ગઢડા તાલુકાના આકડીયા ગામે જન્મેલા શક્તિદાન લાંગાવદરા કે જેઓ ભજન નો ભેખ લઈને નીકળી જતા પૂજ્ય નારાયણ સ્વામી તરીકે ઓળખાયા, જે  આજે પોતાના અમર ભજનો, […]

ખંભાળિયામાં રૂ. 78 કરોડથી વધુ રકમના વિકાસ કાર્યોનું કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાતમુહૂર્ત

– ઓવરબ્રિજ, મોડલ ફાયર સ્ટેશન, રસ્તાઓ સહિતના કામોનું ખાતમુહૂર્ત – – શહેરીજનોની સવલતોમાં થશે વધારો –  જામ ખંભાળિયા, તા. ૦૯-૦૪-૨૦૨૫     ખંભાળિયાના ટાઉનહોલ ખાતે નગરપાલિકા વિસ્તારના અંદાજિત રૂ. 78 કરોડથી વધુ રકમના વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. અહીંના ધારાસભ્ય અને રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તથા કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તેના […]

રાજયોગીની દાદી રતનમોહિનીનું 101 વર્ષની વયે નિધન

વિપુલ હિરાણી, ભાવનગર તા.૮મહિલા સશક્તિકરણની સૌથી મોટી સંસ્થા બ્રહ્માકુમારીઓના વડા રાજયોગિની દાદી રતનમોહિની, શરૂઆતથી આજ સુધી વૃક્ષને વડનું વૃક્ષ બનવાના સાક્ષી રહ્યા છે.આ પ્રસંગે બ્રહ્મા કુમારી તૃપ્તિ બહેન ઉપક્ષેત્રિય સંચાલિકા ભાવનગર બ્રહ્મા કુમારી ઉષાબેન, બ્રહ્મા કુમાર મુકેશભાઈ જોશી તથા ભાવનગર બ્રહ્મા વત્સો દ્વારા શ્રઘ્ધા સુમન અર્પિત કરેલ. ફેક્ટ ફાઇલ -૧૯૫૬ થી ૧૯૬૯ સુધી મુંબઈમાં સેવા […]

ભડિયાદમાં ખોજા પરિવાર દ્વારા નિર્માણ થયેલ શ્રી અંબાજી માતાજીનું મંદિર

ગામનાં ભાણેજ મુસ્લિમ દાતા દ્વારા થતાં વિવિધ ધાર્મિક સામાજિક કાર્યો મૂકેશ પંડિત, ધોલેરા ધોલેરા પાસે આવેલ સુપ્રસિધ્ધ ભડિયાદમાં ખોજા પરિવાર દ્વારા નિર્માણ થયેલ શ્રી અંબાજી માતાજીનું મંદિર દર્શનીય છે. આ ગામનાં ભાણેજ મુસ્લિમ દાતા દ્વારા થતાં વિવિધ ધાર્મિક સામાજિક કાર્યોથી ગામ જોડાતું રહ્યું છે. નાનકડાં ગામમાં ધાર્મિક અને સામાજિક એકતાનું ઉદાહરણ એટલે ધોલેરા પાસે આવેલ […]

ભાજપ દ્વારા ગણેશગઢમાં બાળકોને ફળ વિતરણ અને શૈક્ષણિક સામગ્રી ભેટ અપાઈ

ભાવનગર જિલ્લા ભાજપ અગ્રણીઓની રહી ઉપસ્થિતિ ભાવનગર સોમવાર તા.૭-૪-૨૦૨૫ ભાજપ સ્થાપના દિવસ સંદર્ભે યોજાયેલ ઉપક્રમો અંતર્ગત ગણેશગઢમાં બાળકોને ફળ વિતરણ અને શૈક્ષણિક સામગ્રી ભેટ અપાઈ. ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલનાં નેતૃત્વ સાથે ભાજપ સ્થાપના દિવસ સંદર્ભે વિવિધ ઉપક્રમો યોજાયાં છે, જે પૈકી ગણેશગઢ ગામે આંગણવાડીમાં આગેવાનોની ઉપસ્થિતિ સાથે કાર્યક્રમ રાખવામાં આવેલ. […]

ખંભાળિયા તાલુકા પ્રા. શિક્ષણાધિકારીનો સન્માન કાર્યક્રમ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫     ખંભાળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત કલ્યાણપુર તાલુકાના નવનિયુકત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દેવશીભાઈ કરમુરનો વિદાય સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા, તાલુકા સંઘના પ્રમુખ જગદીશભાઈ ડેર, મહામંત્રી હિતેષભાઇ કરમુર, બી.આર.સી. પી.એસ. રાણા,જિલ્લા ઉપપ્રમુખ પરેશભાઈ ચાવડા, કે.ની. રામજીભાઈ, […]

Back to Top