Sunday July 27, 2025

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારંભમાં સામેલ થશે

રાજકોટ રાજ્યના આરોગ્ય, પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ રાજકોટના બે દિવસના પ્રવાસે આવનાર છે. જેમાં તા. ૨૮ ડિસેમ્બર શનિવારના રોજ મંત્રી ૧૫:૦૦ કલાકે રાજકોટ ની વિવિધ હોસ્પિટલોની સમીક્ષા કરશે, ત્યારબાદ તા.૨૯ ડિસેમ્બર રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં સામેલ થશે.

પોરબંદરના કેદારેશ્વર મંદિર પાસે યુવાન મહિલાનો આપઘાત

માધવ પાર્ક માં રહેતી 35 વર્ષની પરણીતાએ કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લીધી પોરબંદરપોરબંદરની એક 35 વર્ષીય પરિણીત મહિલાએ કોઈ અકળ કારણોસર કેદારેશ્વર મંદિર પાસે ઝેરી દવા પી લેતા તેમનું સારવાર દરમિયાન મોત થયું છે બનાવના કારણ અંગે પોલીસ તપાસ કરી રહી છે.હીનાબેન કૈલાસભાઇ મેપાભાઇ સોનેરી (ઉ.વ. ૩૫ રહે. માધવપાર્ક રોકડીયા હનુમાન પાછળ પોરબંદર)એ […]

પોરબંદરના ચિત્રકાર બલરાજ પાડલીયાનું વોટર કલર પેઇન્ટિંગ આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શનમાં પસંદગી પામ્યુ

પોરબંદરપોરબંદરના ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ તથાજાણીતા ચિત્રકાર બલરાજ પાડલીયાનું પેઇન્ટિંગ “વેકેશન ઓફ બોટ્સ ” અસ્માવતી ઘાટ પોરબંદર પસંદગી પામેલ છે.તારીખ 6 થી 9 ડિસેમ્બર 2024 દરમિયાન દિલ્હી ખાતેઓલમ્પિઆર્ટ 2024 માં 60 દેશના 550 ચિત્રકારોના ચિત્ર પ્રદર્શન યોજાયેલ. આ પ્રસંગે IWS ના પ્રેસિડેન્ટઅતાનુર ડોગન -કેનેડા, IWS ઈન્ડિયા પ્રેસિડેન્ટ તથા સુપ્રસિદ્ધ ચિત્રકાર અમિત કપૂર-દિલ્હી તથા મેઘા હાંડા […]

ભાવનગર પત્રકારત્વ ના શિખર પુરુષ પ્રતાપભાઈ શાહની 101મી જન્મ જયંતી ઉજવાય

ભાવનગર સ્વ.પ્રતાપભાઈ તારાચંદ શાહ ની 101 મી જન્મ તિથિ નિમિતે ચશ્મા વિતરણ, બોર્ન ડેન્સીટી ટેસ્ટ, બી.પી, ડાયાબિટીસ, હિમોગ્લોબીન, બ્લડ ગૃપિંગ કેમ્પ સહિત ના કેમ્પ માં 200 થી વધુ દર્દીઓ એ લાભ લીધો હતો. શ્રી પ્રતાપભાઈ તારાચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ તથા દિવ્ય ભાસ્કર ગ્રુપ ના સૌરાષ્ટ્ર સમાચાર અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર દ્વારા કેમ્પ માં 200 […]

ભાવનગરમાં ભાવભર ઉજવાશે સુશાસન દિવસ

ભાવનગરસુશાસન દિવસ ૨૫ ડિસેમ્બર ૨૦૨૪ તથા ૨૦૨૫ પૂર્ણ વર્ષ”“સુશાસન દિવસ”ની ઉજવણી તથા “વીર બાલ દિવસ” ૨૬ ડિસેમ્બર ૨૦૨૪, રાષ્ટ્રીય દિવસ ઉજવણી અંગે જીલ્લા ભાજપા ભાવનગર અપેક્ષિત આગેવાનોની બેઠક યોજવામાં આવી હતી. દેશના યશશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ અને ભારત સરકારે ૨૫ ડિસેમ્બર (અટલજી જન્મદિન)સુશાસન દિવસ તથા વીર બાલ દિવસ રાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કરેલ […]

ભાવનગર મંડળના કર્મચારીઓની મદદથી રેલયાત્રી ની ટ્રોલી બેગ પાછી મળી

ભાવનગર વેસ્ટર્ન રેલ્વે, ભાવનગર ડિવિઝનના કર્મચારીઓ તેમના સમ્માનનીય મુસાફરોને શક્ય તમામ મદદ કરવા માટે હંમેશા તત્પર રહે છે. એક રેલયાત્રી ટ્રેન નંબર 12971 બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ ટ્રેનના A-1 કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. સોમવારે ધોળા જંકશન સ્ટેશન પર ટ્રેનમાંથી નીચે ઉતરતી વખતે તેમની એક ટ્રોલી બેગ ટ્રેનમાંજ છુટી ગએલ હતી.ભાવનગર મંડળના વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક શ્રી […]

બાજપાઈજીની જન્મજયંતિ સુશાસન દિવસ અને વિર બાલ દિવસ જેવા આગામી કાર્યક્રમો અંગે ભાવનગર ભાજપની બૃહદ બેઠક મળી

ભાવનગરગત ૨૬ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ રૂપાણી ખાતે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં વીર બાલ દિવસ નિમિત્તે હ્રદયસ્પર્શી ફિલ્મનું આયોજન કરવામાં આવેલ, જ્યારે આગમી ૨૫ ડિસેમ્બરના રોજ શહેર ભાજપ દ્વારા સુશાસન દિવસ અર્થાત પૂર્વ વડાપ્રધાન આદરણીય અટલબિહારી બાજપાઈજીની જન્મજયંતિ તેમજ ૨૬ ડિસેમ્બરના રોજ વિશ્વ બાલ દિવસ મનાવવામાં આવનાર છે, જે અંતર્ગત અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની […]

તામિલનાડુંનાં ઐતિહાસિક નગર તંજાવુરમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા

‘માનસ હરિભજન’ લાભ લેતાં ભાવિક શ્રોતાઓ તંજાવુર સોમવાર તા.૨૩-૧૨-૨૦૨૪(મૂકેશ પંડિત) તામિલનાડુંનાં ઐતિહાસિક નગર તંજાવુરમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ચાલી રહી છે. સ્થાનિક અને દેશ વિદેશનાં ભાવિક શ્રોતાઓ રામકથા ‘માનસ હરિભજન’ લાભ લઈ રહ્યાં છે. દક્ષિણ ભારતનાં તામિલનાડુંનાં તીર્થસ્થાન ઐતિહાસિક નગર તંજાવુરમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથાનો ગત શનિવારથી પ્રારંભ થયો છે. તંજાવુરમાં મહારાજા મહાલમાં રામચરિત માનસ […]

સણોસરામાં પૂર્ણા દિવસની થઈ ઉજવણી

ઈશ્વરિયા મંગળવાર તા.૨૪-૧૨-૨૦૨૪ સંકલિત બાળવિકાસ યોજના કચેરી અંતર્ગત સણોસરામાં આંગણવાડી કેન્દ્રો અંતર્ગતપૂર્ણા દિવસની થઈ ઉજવણી છે. ફરજ પરનાં અધિકારી શ્રી હેમાબેન દવેનાં માર્ગદર્શન સાથે કિશોરીઓને સારી વર્તણુક અને જીવન કૌશલ્ય સમજ અપાઈ. આંગણવાડી કાર્યકર્તા શ્રી સંગીતાબેન ચાવડા, શ્રી હિનાબેન પુરોહિત અને શ્રી કૈલાસબેન ચૌહાણ, શ્રી ચંદ્રિકાબેન મકવાણા દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.

રામધરી આંગણવાડી કેન્દ્રમાં પૂર્ણા દિવસ

ઈશ્વરિયા મંગળવાર તા.૨૪-૧૨-૨૦૨૪ સિહોર તાલુકાનાં રામધરી ગામે આંગણવાડી કેન્દ્રમાં પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી. સંકલિત બાળવિકાસ યોજના કચેરી સિહોરનાં ફરજ પરનાં અધિકારી શ્રી હેમાબેન દવે સાથે નિરીક્ષક શ્રી સવિતાબેન ગોહિલ દ્વારા કિશોરીઓને સારી વર્તણુંક તથા જીવન કૌશલ્ય અંગે માર્ગદર્શન અપાયું. અહિંયા આંગણવાડી કાર્યકર્તા શ્રી ભૂમિબેન પંડ્યા, શ્રી ધામેલિયા અને શ્રી મધુબેન સમેજાએ સંકલન કર્યું હતું.

Back to Top