– તા. 25 ફેબ્રુઆરીના રોજ જાહેર હરાજી કરાશે – જામ ખંભાળિયા, તા. ૦૭-૦૨-૨૦૨૫ ખંભાળિયા નગરપાલિકા દ્વારા અહીંના પોશ વિસ્તાર રામનાથ સોસાયટી નજીક બનાવવામાં આવેલી નવી શાકમાર્કેટના ગાલાની હરાજી માટે તારીખ 25 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. ખંભાળિયા શહેરના મહત્વના રેસીડેન્સ વિસ્તાર એસએનડીટી – રામનાથ સોસાયટી વિસ્તારમાં આજથી આશરે […]
Tag: DWARKA
ખંભાળિયામાં માનસિક રીતે અસ્વસ્થ પરપ્રાંતિય તરુણીએ આપઘાત કર્યો
જામ ખંભાળિયા, તા. ૦૮-૦૨-૨૦૨૫ મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના કુકસી તાલુકાના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા તાલુકાના માંઝા ગામે રહેતી જમનાબેન નારણભાઈ પંચાલ નામની 15 વર્ષની તરુણી છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે અસ્વસ્થ હોય, આ પરિસ્થિતિમાં ગત તારીખ 3 ના રોજ તેણીએ માંઝા ગામના દેવુભાઈ લીલાભાઈ કારીયાની વાડીમાં જંતુનાશક દવા પી લેતા તેણીને […]
દ્વારકાના ગોમતી ઘાટ પર બે માસથી સાઈબેરીયન સીગલ પક્ષીનો જમાવડો
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૭-૦૨-૨૦૨૫ મુખ્યત્વે યુરોપ, સાયબેરીયા, કઝાકીસ્તાન અને ચાઈનામાં જોવા મળતાં વિદેશી સીગલ બર્ડ દર વર્ષે ગુજરાતના દરિયા કિનારે જોવા મળે છે. યાત્રાધામ દ્વારકામાં પણ સીગલ બર્ડ શિયાળાછે આશરે બે માસ જેટલા સમય થવા છતાં હજુ પણ સીગલ પક્ષીનો જમાવડો યથાવત જોવા મળી રહયો છે. બે માસથી મોટી […]
સલાયામાં યુવાન ઉપર જીવલેણ હુમલા કેસમાં પાલિકાના તત્કાલીન પ્રમુખ સહિત 10ને 10 વર્ષની કેદ : “આપ”ના ઉમેદવારને પણ સજા ફટકારતી ખંભાળિયા સેશન્સ કોર્ટ
સામા પક્ષે ક્રોસ ફરિયાદમાં નવને આજીવન કેદ જામ ખંભાળિયા, તા. ૦૭-૦૨-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આજથી આશરે નવ વર્ષ પૂર્વે એક યુવાન પર કરવામાં આવેલા જીવલેણ હુમલા સંદર્ભે સલાયા નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ તેમજ “આપ”ના વર્તમાન ઉમેદવાર સહિત 10 શખ્સોને ખંભાળિયાની સેશન્સ અદાલતે દસ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે. આ તકરારમાં […]
ખંભાળિયા: નયારા એનર્જી દ્વારા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું
– સીએસઆર અંતર્ગત વિવિધ સેવાકાર્યો લોકોને અર્પિત – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૭-૦૨-૨૦૨૫ ખંભાળિયા વાડીનાર સ્થિત નયારા એનર્જી દ્વારા ઔદ્યોગિક સામાજિક જવાબદારીના ભાગરૂપે અનેક પ્રકારના સેવાકીય કાર્યો અવિરત કરવામાં આવી રહ્યા છે. જેમાં તાજેતરમાં કેટલાક સેવાકીય પ્રકલ્પોનું લોકાર્પણ દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લામાં કરવામાં આવ્યું હતું. જામનગરમાં નયારા […]
સફાયો : ખંભાળિયામાં નડતરરૂપ 18 દબાણો દૂર કરતું પાલિકા તંત્ર
– ચાર રસ્તા, સુખનાથ મંદિર વિસ્તારમાં ડિમોલિશન – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૭-૦૨-૨૦૨૫ ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં અનેક આસામીઓએ કરેલા દબાણ તેમજ વિવિધ વિકાસ કાર્યો માટે નડતરરૂપ એવા અતિક્રમણને દૂર કરવા સંદર્ભે નગરપાલિકા દ્વારા અપાયેલી નોટિસ બાદ ગઈકાલે 18 બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. ત્યારે આગામી વધુ દબાણ હટાવવા માટે પણ […]
ભાણવડમાં ચૂંટણી સંદર્ભે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
કુંજન રાડિયા, ભાણવડ , તા. ૦૭-૦૨-૨૦૨૫ આગામી દિવસોમાં ભાણવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ત્યારે આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને સ્થાનિક પી.એસ.આઈ. કે.એમ. મારુ […]
ગીરમાં સિંહોને શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં 37 ટકાનો વધારો: રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પર્યાવરણ મંત્રીનો પ્રત્યુત્તર
જામ ખંભાળિયા, તા. ૦૬-૦૨-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા) ગીરમાં એશિયાટિક સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં 37 ટકાનો વધારો થયો છે. ગીરમાં સિંહને શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની અંદાજિત સંખ્યા 2019માં 1,55,659થી વધીને 2024માં 2,13,391 થઈ છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્ય મંત્રી શ્રી કીર્તિ […]
અકળ કારણોસર સલાયાની યુવતીએ ઝેરી દવા પીધી: મૃત્યુ
સલાયા ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતી સોમૈયાબેન આમદભાઈ ઈશાભાઈ ગજણ નામની 19 વર્ષની અપરિણીત મુસ્લિમ યુવતીએ ગત તારીખ 28 મી જાન્યુઆરીના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના […]
ભાણવડમાં સમણ શ્રી શ્રુતપ્રજ્ઞજીના સહયોગથી વિદ્યાર્થીનીઓ માટે દિવ્ય ગુરુકુલમનું ભવ્ય નિર્માણ
– મોટી સંખ્યામાં બાળાઓ વિના મૂલ્યે કરી શકે છે અભ્યાસ કુંજન રાડિયા, ભાણવડ તા. ૦૬-૦૨-૨૦૨૫ શિક્ષણ જગત માટે ભાણવડમાં ઐતિહાસિક નોંધ લેવા જેવી શિક્ષણ સંસ્થા એટલે ભાણવડની પુરુષાર્થ વિદ્યાનિકેતન અને ઘુમલી ગામની તપોવન વિશ્વવિદ્યાલય. તેમાં પણ સમણજી (શ્રુતપ્રજ્ઞજી) ગુરુકુલમ કે જેમાં સર્વે જ્ઞાતિની 250 દીકરીઓ વિનામૂલ્યે છાત્રાલયમાં રહી અભ્યાસ કરી શકે છે. […]
