કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૩-૦૨-૨૦૨૫ ખંભાળિયા શહેરમાં રહેતા એક યુવાનને ચીટર ટોળકીએ હની ટ્રેપનો શિકાર બનાવી અને નોંધપાત્ર રકમ ખંખેરી લેતા આ પ્રકરણમાં સ્થાનિક પોલીસે કરેલી કાર્યવાહીમાં ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના વડત્રા […]
Tag: DWARKA
ડાકોરના ઠાકોરને ખંભાળિયાના અગ્રણીઓનું નમન : મોટાણી પરિવાર દ્વારા ડાકોરમાં પૂજન અર્ચન કરાયું
જામ ખંભાળિયા, તા. ૦૩-૦૨-૨૦૨૫ ખંભાળિયાના રઘુવંશી અગ્રણી અને રાજકીય આગેવાન મોટાણી પરિવાર દ્વારા આજરોજ ખાસ આયોજન સંદર્ભે ડાકોર ખાતે કાળિયા ઠાકોરને શીશ ઝુકાવવામાં આવ્યું હતું. ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જેમીનીબેન મોટાણી તેમજ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ યોગેશભાઈ મોટાણી પરિવાર દ્વારા આજરોજ આણંદ ખાતે યોજવામાં આવેલા ભવ્ય કાર્યક્રમ સાથે […]
અવસાન નોંધ : જામ ખંભાળિયા : સોમૈયા
જામ ખંભાળિયા, તા. ૦૨-૦૨-૨૦૨૫ જામ ખંભાળિયા: સ્વ. વલ્લભદાસ વિઠ્ઠલદાસ સોમૈયા (સોમૈયા નાસ્તા ભુવન વાળા)ના ધર્મપત્ની ગં સ્વ. મુક્તાબેન વલ્લભદાસ સોમૈયા (ઉ.વ. 78) તે સ્વ. ભાણજીભાઈ છગનલાલ તન્ના (સલાયા વારા)ના પુત્રી તથા કાંતિભાઈ, રજનીકાંતભાઈ, સ્વ. જયેન્દ્રભાઈ, સંજયભાઈ તથા ફાલ્ગુનભાઈના માતુશ્રી તારીખ 02-02-2025 ના રોજ દુઃખદ અવસાન પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા સોમવાર તારીખ 03-02-2025 ના રોજ […]
:: ચિ. હિરેન @ ચિ. હર્ષવી :: ખંભાળિયાના જાણીતા ઓઈલ મિલર પ્રાણજીવન જેઠાલાલ દત્તાણી પરિવારના દ્વારે શરણાઈના સૂર
જામ ખંભાળિયા ખંભાળિયાના જાણીતા દતાણી ઓઈલ મીલ વાળા સ્વ. પ્રાણજીવન જેઠાલાલ દત્તાણીના પૌત્ર તેમજ આણંદના જાણીતા બિઝનેસમેન અજન્ટા એગ્રો તેમજ રાજાધિરાજ ડેવલોપર્સ વારા શ્રી હિતેશભાઈ દત્તાણી અને અ.સૌ. ડિમ્પલબેન દત્તાણીના પુત્ર ચિ. હિરેનના શુભ લગ્ન અ.સૌ. ફાલ્ગુનીબેન તથા શ્રી સંદીપભાઈ પ્રવીણભાઈ દેસાઈની સુપુત્રી ચિ. હર્ષવી સાથે સોમવાર તારીખ 03-02-2025 ના શુભ દિને […]
દ્વારકામાં તીક્ષ્ણ હથિયારથી આખલાની ઘાતકી હત્યા: ગૌ પ્રેમીઓમાં રોષ
જામ ખંભાળિયા, તા. ૦૧-૦૨-૨૦૨૫ દ્વારકા નજીક કોઈ શખ્સ દ્વારા એક આખલાની તિક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હત્યા કરાયાનો બનાવ સામે આવ્યો છે. જે અંગે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ચકચારી બનાવની વિગત એવી છે કે દ્વારકાથી આશરે 6 કિલોમીટર દૂર આવેલી હોટલ હોથ્રોન પાસેના એક ખુલ્લા માર્ગ પર […]
ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીનો આજે જન્મદિવસ
જામ ખંભાળિયા, તા. ૧-૨-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા) પરિમલ નથવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) છે અને વાય.એસ.આર. કોંગ્રેસ પાર્ટીના સાંસદ તરીકે રાજ્ય સભામાં આંધ્ર પ્રદેશનું પ્રતિનિધત્વ કરી રહ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીની કોર ટીમના સભ્ય એવા પરિમલ નથવાણી રિલાયન્સના સ્થાપક શ્રી ધીરુભાઈ અંબાણીને પોતાના ગુરુ […]
કલ્યાણપુરના બોક્સાઈટ ચોરી પ્રકરણના બે બંધુઓને સાડા ત્રણ વર્ષની સખત કેદ: પ્રથમ વખત આઠ વર્ષ જુના હાઇગ્રેડ ખનીજ ચોરી પ્રકરણમાં ખંભાળિયાની કોર્ટનો ચુકાદો
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૧-૦૧-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સતાપર (ઘોરવા) વિસ્તારમાં રહેતા રણમલ વીરા પોસ્તરીયા અને મેરામણ વીરા પોસ્તરીયા નામના બે ભાઈઓએ ગુનાહિત રીતે કાવતરું રચીને આરોપી મેરામણના કહેવા મુજબ તેના ભાઈ એવા આરોપી રણમલ પોસ્તરીયાએ તેના જેસીબી મારફતે સતાપર ગામની સીમમાં આવેલી ચોક્કસ રેવન્યુ સર્વે નંબરની […]
:: ચિ. રોહિત * ચિ. પ્રિયા ::શુભ વિવાહ : ખંભાળિયાના નડીયાપરા પરિવારના દ્વારે લગ્નનો રૂડો અવસર
જામ ખંભાળિયા, તા. ૩૧-૦૧-૨૦૨૫ ખંભાળિયાના અ.સૌ. હેતલબેન તથા શ્રી રમેશભાઈ મૂળજીભાઈ નડીયાપરાના સુપુત્ર ચિ. રોહિતના શુભ લગ્ન મીઠાપુર નિવાસી અ.સૌ. હંસાબેન તથા શ્રી હસમુખભાઈ પ્રેમજીભાઈ ટાકોદરાની સુપુત્રી ચિ. પ્રિયા સાથે રવિવાર તારીખ 02-02-2025 ના શુભ દિને યોજાયા છે. (ફોટો: કુંજન રાડિયા)
દ્વારકાના કુખ્યાત બિચ્છું ગેંગના વધુ બે આરોપીઓના જામીન રદ : પુનઃ જેલ હવાલે કરાવતી દ્વારકા જિલ્લા પોલીસ
– – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૧-૦૧-૨૦૨૫ દ્વારકા પંથકના સ્થાનિક રહીશોને વિવિધ પ્રકારે ત્રાસ આપી અને કહેર વર્તાવતી બિચ્છુ ગેંગના આરોપીઓને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે ગુજસીટોકના કાયદા તળે જેલ હવાલે કર્યા બાદ આ પ્રકરણના બે આરોપીઓ જામીન મુક્ત થતાં આ સંદર્ભે પોલીસની કરવામાં આવેલી પ્રક્રિયા બાદ આરોપીઓના જામીન રદ કરાવી પુનઃ […]
પ્રયાગરાજ ખાતે કુંભ મેળામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે સપરિવાર મુલાકાત કરી
– મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા શારદાપીઠ શિબિરની મુલાકાત – પ્રયાગરાજ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા કુંભ મેળામાં સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સપરિવાર તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દ્વારકા શારદાપીઠ શિબિરની મુલાકાત લીધી હતી. અને દ્વારકા શારદાપીઠાધિશ્વર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજના આશિર્વાદ મેળવ્યા હતા. (ફોટો:- કુંજન રાડિયા)
