Headlines

પૂ. જલારામ બાપા વિશે અશોભનીય કથનનો કોઈને અધિકાર નથી: પરિમલ નથવાણી

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫         સંત શિરોમણી પૂ. જલારામ બાપાને માત્ર લોહાણા સમાજના જ નહીં, પરંતુ સમગ્ર હિન્દુ સમાજ ભગવાન માને છે. તેમનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી તેમ જણાવી, ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ તાજેતરના એક વ્યક્તિ દ્વારા કરાયેલા પૂ. જલારામ બાપા વિશેના કથનને વખોડી કાઢ્યા છે.  …

Read More

8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે દ્વારકામાં યોજાશે નારી શક્તિને વંદન કાર્યક્રમ

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫                ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન યોગ સેવક શિશપાલજી રાજપુતના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં સ્વસ્થ અને નીરોગી જીવન માટેની યોગક્રાંતિ થઈ રહી છે. ત્યારે દ્વારકામાં સનાતન સેવા મંડળ ક્રાંતિકારી મુળુભા માણેક સર્કલ દ્વારકા ખાતે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને…

Read More

બેટ દ્વારકાના મંદિરે ફુલડોલ ઉત્સવ તથા દ્વિતીય પાટોત્સવ પ્રસંગે દર્શનના સમયમાં ફેરફાર

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫            શ્રીકૃષ્ણ ભગવાનની નિવાસભૂમિ બેટ દ્વારકા તીર્થક્ષેત્રમાં આવેલા દ્વારકાધીશના મંદિરમાં આગામી તા. 14 માર્ચના ફુલડોલ ઉત્સવ પ્રસંગે સવારે 11:30 થી બપોરે 12 દરમિયાન ઠાકોરજીના દોલોત્સવ દર્શન પરંપરાગત રીતે થશે.       જ્યારે તા.15 મી માર્ચના રોજ દ્વિતીય પાટોત્સવ પ્રસંગે સવારે સવારે 7:30 વાગ્યે મંગલા આરતી, સવારે…

Read More

ખંભાળિયા આઈ.ટી.આઈ. ખાતે કાલે ઔધોગિક ભરતીમેળો યોજાશે

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫       દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, આવતીકાલે શુક્રવારે સવારે સાડા દસ વાગ્યે ખંભાળિયામાં આઈ.ટી.આઈ. ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુ વચ્ચે સેતુરૂપ ઔધોગિક ભરતી મેળો યોજાશે.        ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવ બળની જરૂરિયાત હોય, જે અંતર્ગત ઈચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર…

Read More

ગુજરાતમાં મોટી સંખ્યામાં આચાર્યોની જગ્યાઓ ખાલી

– સરકાર દ્વારા કારણોનું ચિંતન, મનન અનિવાર્ય –  જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫      ગુજરાતમાં 900 જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની જગ્યાઓ ખાલી છે. તેના કહેવાતા મુખ્ય કારણ મુજબ સરકાર દ્વારા તાજેતરમાં જ ભરતી કરવામાં આવી, તેમ છતાં આટલી જગ્યાઓ ખાલી રહેવાનું કારણ જાણી તેનું નિરાકરણ લાવવાની તાતી જરૂરિયાત છે.      …

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મયુરભાઈ ગઢવીની પુનઃ નિયુક્તિ

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫         સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખની પણ આજરોજ આખરે વિધિવત રીતે જાહેરાત થઈ છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીને રીપીટ કરાયા છે.         દેવભૂમિ દ્વારકા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના તત્કાલીન પ્રમુખ ખીમભાઈ જોગલના સમયગાળામાં તેમની તબિયત નાદુરસ્ત બનતા તેમની…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લાનો દરિયો તોફાની રહેવાની શક્યતા: માછીમારોને સાવચેત કરાયા

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૫          હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. 4 થી તા. 8 માર્ચ સુધી દરિયામાં પવનની ઝડપ 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની તેમજ આ ઝડપ વધીને 55 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે જેના કારણે દરિયો એકદમ તોફાની બની રહેશે તેવી શક્યતાને ધ્યાને લઈ, અને…

Read More

દ્વારકા જિલ્લામાં ધાર્મિક દબાણ અંગે તંત્ર સમક્ષ જરૂરી અરજી પણ થઈ શકે છે: પ્રાંત અધિકારી

– ડિમોલિશનની વહેતી અફવાઓ અંગે પ્રાંત અધિકારીની સ્પષ્ટતા –  જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા, ભાણવડ તથા કલ્યાણપુર તાલુકામાં તાજેતરમાં સ્થાનિક મામલતદાર દ્વારા ધાર્મિક સ્થળોની યાદી બહાર પાડીને આની સામે કાર્યવાહી કરવા અંગેની નોટિસ જાહેર કરી અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.          આ મુદ્દે સમગ્ર જિલ્લામાં ભારે ઉહાપોહ…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ત્રણ નગરપાલિકાઓના હોદ્દેદારો વરાયા

– પ્રમુખ તરીકે દ્વારકામાં કોમલબેન, સલાયામાં જુલેખાબેન અને ભાણવડમાં પ્રિયેશભાઈ ઉનડકટ – જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં યોજાઈ ગયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દ્વારકા, સલાયા તેમજ ભાણવડમાં એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન અને મતગણતરીની પ્રક્રિયા સંપન્ન થઈ હતી. જેમાં દ્વારકા અને ભાણવડમાં ભાજપની નોંધપાત્ર જીત જ્યારે સલાયામાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો…

Read More

કલ્યાણપુર નજીક કારની ઠોકરે બુલેટ સવાર દંપતિ ઇજાગ્રસ્ત

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫        કલ્યાણપુરથી આશરે 30 કિલોમીટર દૂર લીંબડી ગામ નજીક આવેલા હાઈ-વે માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 10 સી.એન. 5083 નંબરની વર્ના મોટરકારના ચાલકે આ માર્ગ પર બુલેટ મોટરસાયકલ પર જઈ રહેલા દેવાભાઈ સોનગરા તથા તેમના પત્ની વીરૂબેન દેવાભાઈ સોનગરાને અડફેટે લેતા તેઓને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં…

Read More