ટેકનોલોજીકલ ક્રાંતિના પ્રણેતા ભારતરત્ન અટલજીના વિઝન સાથે આધુનિક AI ગવર્નન્સના સમન્વય અંગે સ્પીપામાં વિશેષ વ્યાખ્યાન યોજાયું: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં ‘જય વિજ્ઞાન’ થી ‘જય અનુસંધાન’ અને સોવરિન AI દ્વારા સુશાસન સ્થાપવા ડૉ. પી. એમ. અનવરથમનું આહવાન
મુકેશ પંડિત , અમદાવાદ સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા), અમદાવાદ ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ‘અટલ વ્યાખ્યાનમાળા’ના પાંચમા સંસ્કરણનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. પી. એમ. અનવરથમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સુશાસન વચ્ચેના અતૂટ સંબંધ પર વિશેષ વ્યાખ્યાન આપ્યું હતું, જેમાં તેમણે ટેકનોલોજીના…
