ખંભાળિયામાં સોમવારે વાલ્મિકી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫        ખંભાળિયા વાલ્મિકી સમાજ દ્વારા આગામી સોમવાર તારીખ 14 એપ્રિલના રોજ સાંજે 7 વાગ્યે અહીંના પોરબંદર રોડ પર આવેલા ટાઉન હોલ ખાતે વાલ્મિકી સમાજના ધોરણ 1 થી 12 સુધીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે. આ સાથે વાલ્મિકી સમાજના નવનિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવશે.    …

Read More

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા: સ્વ. લવજીભાઈ નાનાણીના ધર્મપત્ની સવિતાબેન (ઉ.વ. 80) તે રમેશભાઈ નાનજીભાઈ અને મનસુખભાઈના માતુશ્રી તા. 11 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા શનિવાર તા 12 ના રોજ સાંજે 5 થી 5:30 અત્રે ખામનાથ મહાદેવ મંદિર ખાતે રાખવામાં આવેલ છે. ____________________________________________________________________________ (કુંજન રાડિયા)

Read More

ખંભાળિયાના જાણીતા સેવાભાવી કાર્યકર પરાગભાઈ તન્નાનું નિધન

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૪-૨૦૨૫ જામ ખંભાળિયા: જૂની પેઢીના વલ્લભદાસ રતનશી તન્ના મેડિકલ સ્ટોર વાળા સ્વ. પ્રભુદાસભાઈ તન્નાના સુપુત્ર પરાગભાઈ તન્ના (મેડિકલ વાળા, ઉ.વ. 60) તે સ્વ. સંજયભાઈના મોટાભાઈ તેમજ મુકેશભાઈ તન્નાના નાનાભાઈ મંગળવાર તારીખ 1 ના રોજ દુઃખદ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા ગુરૂવાર તારીખ 3 ના રોજ સાંજે 5 થી 5:30 ભાઈઓ તથા બહેનો…

Read More

અવસાન નોંધ: જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૫ જામ ખંભાળિયા: અહીંના વિશ્વકર્મા એન્જી. કંપની તથા સરસ્વતી ગ્રુપવારા સુંદરજીભાઈ દેવજીભાઈ સુરેલીયા (મુળ ભાણખોખરીવારા) ના ધર્મપત્ની રમાબેન તે ચેતનભાઈ, સરોજબેન મુકેશકુમાર વડગામા (રાજકોટ) તથા અમિતાબેન મુકેશકુમાર બકરાણીયા (જામનગર) ના માતુશ્રી, વિણાબેનના સાસુ, સ્વ. ડાયાલાલ, સ્વ. ઓધવજીભાઈ અને સ્વ. બાબુલાલના ભાઈ વહુ તથા દિપ્તીબેન અને પરાગના દાદીમાં તેમજ શાંતિલાલ (જામનગર), મુકેશભાઈ, (પ્રમુખ,…

Read More

ખંભાળિયામાં નકલી અધિકારી બનીને ફરતા જીલ પંચમતીયા સામે છેતરપિંડી, હથિયાર સહિતના આઠ ગુના નોંધાયા

– માસ્ટર માઈન્ડ શખ્સની ખુલી સિલસિલાબદ્ધ વિગતો – – નકલી સ્ટેમ્પ તેમજ ભારત સરકારના બનાવટી દસ્તાવેજો પણ તૈયાર કર્યા..!! – અધિકારીઓ, નેતાઓ સાથે ફોટા પડાવી પોતાનું સન્માન દર્શાવતો કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫       ખંભાળિયામાં ઉચ્ચ અધિકારીના હોદાની પ્લેટ સાથે ફરતી મોટરકારને પોલીસે શંકાના આધારે ઝડપી લઇ, આ પ્રકરણના માસ્ટર માઈન્ડ એવા…

Read More

ખંભાળિયામાં ચઢતા પહોરે ટ્રકમાં લાગી ભીષણ આગ

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૩-૨૦૨૫       ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ પાસે આજે વહેલી સવારે એક ટ્રકમાં આગ લાગતા થોડો સમય દોડધામ મચી જવા પામી હતી. જો કે આગનું કારણ જાણવા મળ્યું નથી.          આ અંગે ફાયર સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયાની સરકારી સિવિલ હોસ્પિટલની સામેના રોડની એક સાઈડમાં પાર્ક…

Read More

દુઃખદ અવસાન – પ્રાર્થનાસભા : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫ દુઃખદ અવસાન – પ્રાર્થનાસભા જામ ખંભાળિયા: સુરેશભાઈ ગીરધરલાલ દત્તાણી (ગગુભાઈ દત્તાણી વાળા) (ઉ.વ. 71) તે સંજયભાઈના મોટાભાઈ તેમજ સ્વ. કિશોરભાઈ અને સ્વ. નરેન્દ્રભાઈના નાનાભાઈ તા. 21 મી ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તેમજ સાદડી શનિવાર તારીખ 22 મીના રોજ સાંજે 5 થી 5:30 ભાઈઓ તથા બહેનો માટે અત્રે જલારામ…

Read More

ખંભાળિયા હાઈવે માર્ગ પર બાઈક સ્ટંટ કરતા બાર શખ્સો ઝડપાયા: વાહનો કબજે

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૫       ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર બેફામ રીતે બાઇક ચલાવી, સ્ટંટ કરતા 12 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.         આ સમગ્ર મામલે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા – દ્વારકા હાઈવે પર કેટલાક વાહન ચાલકો પોતાનું વાહન પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવીને આંતરિક રેસ…

Read More

ખંભાળિયા શહેરમાં વિવિધ વિકાસ કાર્યો માટેનું કરાયું નક્કર આયોજન

– શહેરમાં રોડ, રસ્તા, પ્રાર્થના હોલ સહિતના કામો હાથ ધરાશે –  જામ ખંભાળિયા, તા. ૧૮-૦૩-૨૦૨૫           ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી દ્વારા ચીફ ઓફિસર તેમજ પાલિકાના ઇજનેર સહિતની ટીમ સાથે સંકલન કરીને શહેરમાં અનેક વિકાસ કાર્યોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.         ખંભાળિયા શહેરના મોટાભાગના મહત્વના રસ્તાઓ હાલ…

Read More

અવસાન નોંધ જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૩-૨૦૨૫ અવસાન નોંધ જામ ખંભાળિયા : રાણાભાઈ જગમાલભાઈ સોલંકી (નિવૃત શિક્ષક) (ઉ.વ. ૮૫) તે અનિલભાઈ સોલંકી, દિલીપભાઈ સોલંકી, ધર્મેન્દ્ર સોલંકી તેમજ અ.સૌ. અલકાબેન નંદાણિયા, અ.સૌ. અંજુબેન ભાટિયા તેમજ અ.સૌ. અસ્મીતાબેન વારોતરીયાના પિતાશ્રી તેમજ દેવશીભાઈ સોલંકી, દેવાતભાઈ સોલંકી, હરદાસભાઈ સોલંકી (નિવૃત શિક્ષક) અને રામભાઈ સોલંકીના મોટાભાઈ તા. ૧૪ ના રોજ અવસાન પામ્યા છે….

Read More