Headlines

ગીરમાં સિંહોને શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં 37 ટકાનો વધારો: રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પર્યાવરણ મંત્રીનો પ્રત્યુત્તર

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૨-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા)             ગીરમાં એશિયાટિક સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં 37 ટકાનો વધારો થયો છે. ગીરમાં સિંહને શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની અંદાજિત સંખ્યા 2019માં 1,55,659થી વધીને 2024માં 2,13,391 થઈ છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્ય મંત્રી શ્રી કીર્તિ…

Read More

અકળ કારણોસર સલાયાની યુવતીએ ઝેરી દવા પીધી: મૃત્યુ

સલાયા        ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતી સોમૈયાબેન આમદભાઈ ઈશાભાઈ ગજણ નામની 19 વર્ષની અપરિણીત મુસ્લિમ યુવતીએ ગત તારીખ 28 મી જાન્યુઆરીના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના…

Read More

ભાણવડમાં સમણ શ્રી શ્રુતપ્રજ્ઞજીના સહયોગથી વિદ્યાર્થીનીઓ માટે દિવ્ય ગુરુકુલમનું ભવ્ય નિર્માણ

– મોટી સંખ્યામાં બાળાઓ વિના મૂલ્યે કરી શકે છે અભ્યાસ કુંજન રાડિયા, ભાણવડ તા. ૦૬-૦૨-૨૦૨૫        શિક્ષણ જગત માટે ભાણવડમાં ઐતિહાસિક નોંધ લેવા જેવી શિક્ષણ સંસ્થા એટલે ભાણવડની પુરુષાર્થ વિદ્યાનિકેતન અને ઘુમલી ગામની તપોવન વિશ્વવિદ્યાલય. તેમાં પણ સમણજી (શ્રુતપ્રજ્ઞજી) ગુરુકુલમ કે જેમાં સર્વે જ્ઞાતિની 250 દીકરીઓ વિનામૂલ્યે છાત્રાલયમાં રહી અભ્યાસ કરી શકે છે….

Read More

ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ દ્વારા પડતર પ્રશ્નો અંગે રાજ્યના શિક્ષણ મંત્રીને રૂબરૂ રજૂઆતો કરાઈ: ગંભીર પ્રશ્નોના તાકીદે ઉકેલની માંગ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૬-૦૨-૨૦૨૫      ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના હોદ્દેદારો દ્વારા તાજેતરમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરીયાને રૂબરૂ મળીને તેઓના વિવિધ પ્રશ્નો સંદર્ભે રજૂઆતો કરવામાં આવી હતી.         રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુપ્રસાદ પટેલ, અધ્યક્ષ જયપ્રકાશ પટેલ તથા મહામંત્રી ભરતભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં રાજ્ય સરકાર દ્વારા તારીખ 1 એપ્રિલ…

Read More

દેવભૂમિ દ્વારકાના દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે કામ કરતી હસ્તીઓને પારિતોષિક

– તા. 24 સુધી ઉમેદવારો અરજી કરી શકશે –: અલગ અલગ ત્રણ કેટેગરીમાં અપાશે પારિતોષે કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર કચેરી દ્વારા રાજ્ય કક્ષાના દિવ્યાંગ લોકોને પારિતોષિક મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ એવોર્ડ 40 ટકા કે તેથી વધુ શારીરિક ક્ષતી ધરાવતી શ્રેષ્ઠ કાર્યક્ષમ વ્યક્તિઓ અને…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર તરીકેનો ચાર્જ સંભાળતા આર.એમ. તન્ના: તત્કાલીન કલેકટરને અપાઈ ભાવભરી વિદાય

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર તરીકે આર.એમ. તન્નાએ આજરોજ તેમનો ચાર્જ સંભાળ્યો હતો. આ ચાર્જ મેળવતી વખતે તેમણે જિલ્લા કલેકટર તરીકે જિલ્લાના વિકાસને અગ્રતા આપીને ‘ટીમ દેવભૂમિ દ્વારકા’ તરીકે કાર્ય કરવા સૌને પ્રેરિત કર્યા હતા. સાથે જિલ્લાની પ્રગતિની સફરને વધુ આગળ વધારવા આત્મવિશ્વાસની લાગણી વ્યક્ત કરી…

Read More

ખંભાળિયાની બદીયાણી હોસ્પિટલમાં રવિવારે નેત્રયજ્ઞ

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૫         ખંભાળિયામાં જામનગર ધોરીમાર્ગ પર આવેલી માનવ સેવા સમિતિ સંચાલિત એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તા. 9 ફેબ્રુઆરીના રોજ સવારે 9 થી 11:30 વાગ્યા સુધી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર, દવા વિતરણ તેમજ શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.           મૂળ ગોસા (તા….

Read More

‘વી કેર’ : રિલાયન્સ દ્વારા યાત્રાળુઓને પૌષ્ટિક ભોજન અને આવશ્યક આરોગ્ય સંભાળથી લઈને સુરક્ષિત પરિવહન અને સીમલેસ કનેક્ટિવિટી સુધીની અનેક સેવાઓ

વિશ્વના સૌથી મોટા ધાર્મિક-સાંસ્કૃતિક પ્રસંગ એવા મહાકુંભમાં લાખો યાત્રાળુઓના સ્વાસ્થ્ય, કલ્યાણ અને સલામતીને સક્ષમ બનાવવા અને તેમની મુસાફરીને વધુ સુરક્ષિત, અનૂકૂળ અને સરળ બનાવવાની અમને મળેલી આ તક છે: અનંત મૂકેશ અંબાણીપ્રયાગરાજ, 5 ફેબ્રુઆરી 2025: ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર જળના પ્રયાગરાજના સંગમ તટે લાખો લોકો મહાકુંભ 2025ની આધ્યાત્મિક યાત્રાએ આવી રહ્યા છે. સ્વ-ની શોધ…

Read More

સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોને સફળતા: કેન્દ્રીય અંદાજપત્રમાં હાલારના આઠ રેલવે સ્ટેશનનો અમૃત ભારત હેઠળ કરાશે વિકાસ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૫       દેશના નાણામંત્રી દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટમાં રૂપિયા 6303 કરોડના ખર્ચે દેશના 87 રેલવે સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન તરીકે વિકાસ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના આઠ રેલવે સ્ટેશનનો પણ આ કરોડોની યોજનામાં સમાવેશ થયો છે. ત્યારે હાલારના સાંસદ…

Read More

દ્વારકા જિલ્લામાં અનેક સ્થળોએ કરોડો રૂપિયાના ખર્ચે માયનોર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ

– ચોમાસામાં હવે રસ્તા પર પાણી નહીં ભરાય : ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સાંસદ પૂનમબેન માડમ દ્વારા પ્રયાસો: દેવભૂમિ દ્વારકા જિલ્લાના પી.ડબ્લ્યુ.ડી. વિભાગના કાર્યપાલક ઇજનેર યુ.બી. ચૌધરીની જહેમત કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા હાઈવે માર્ગ પર સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે માયનોર પુલ બનાવવાના…

Read More