Friday June 20, 2025

છેવાડાના ગામ સુધી ‘ડિજીટલ ઈંડીયા’ સાકાર : સરકારી પ્રાથમિક શાળાના શિક્ષિકાએ બાળકોને કોમ્પ્યુટર શિક્ષિત બનાવ્યાં

જામનગર સરકારી શાળા અને શિક્ષકોની ગુણવત્તા માટે હંમેશા પ્રશ્નાર્થ કરતા લોકોની આંખ ઉઘાડનારી ઘટના તાજેતરમાં જામનગર જિલ્લામાં બનવા પામી છે.

તરુણને નશાની હાલતમાં લાવીને છરીથી મિત્રની હત્યા કરનાર હર્ષ ઝડપાયો : ભાવિ પત્નીને મોજ કરવવા માટે પૈસાની જરુર હોવાથી હત્યા બાદ લૂટ કરી હતી

ખંભાળિયા: પૈસાની લાલચે તરુણની હત્યા નિપજાવનાર આરોપી મિત્રને પોલીસે દબોચી લીધો – તરુણને નશાની હાલતમાં લાવીને છરી વડે નીપજાવી હતી હત્યા – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫        ખંભાળિયામાં રહેતા આશરે 16 વર્ષના એક તરુણની છરી વડે હત્યા નિપજાવી, તેની લાશ ફેંકી દેવાના પ્રકરણમાં નોંધાયેલી પોલીસ ફરિયાદને અનુલક્ષીને એલસીબી પોલીસે તાકીદની કાર્યવાહી […]

ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ: આરોપીઓ ફરાર

કુંજન રાડિયા જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૫          દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં દેશી દારૂની પ્રવૃત્તિ માટે કુખ્યાત બની ગયેલા બરડા ડુંગર વિસ્તારમાં તત્વો દ્વારા કરવામાં આવેલી આવી રહેલી દેશી દારૂની પ્રવૃત્તિ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તેમજ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિની સૂચના મુજબ ભાણવડ પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. કે.કે. મારુ […]

બાંગ્લાદેશ બોર્ડર ક્રોસ કરીને ભારતમાં ઘુસણખોરી કરીને દ્વારકા ઘૂસી આવેલી પાંચ બાંગ્લાદેશી મહીલાઓ ઝબ્બે

– એસ.ઓ.જી. પોલીસે સિલસિલા બંધ વિગતો મેળવી –  જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૫      ભારતના છેવાડાના અને સંવેદનશીલ એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કાંઠે પોલીસ તંત્ર દ્વારા વિદેશથી ઘુસી આવતા નાગરિકો તેમજ માદક પદાર્થો સંદર્ભે સધન કાર્યવાહી કરવામાં આવે છે. આ વચ્ચે રવિવારે દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી બાંગ્લાદેશની રહીશ એવી પાંચ મહિલાઓને એસ.ઓ.જી. પોલીસે ઝડપી […]

‘શ્રી કૃષ્ણ’ પર આધારીત વિશ્વના પ્રથમ મેગા મ્યુઝિકલ ‘રાજાધિરાજ – લવ.લાઈફ.લીલા’ની દિલખોલ પ્રશંસા કરતા શેખ નહ્યાન બિન મુબારક

“ હું તમારી મૌલિકતા, સર્જનાત્મકતા અને જીવન તથા કળા પ્રત્યેના પ્રેમની પ્રશંસા કરું છું”: શેખ નહ્યાન બિન મુબારક – હિઝ હાઈનેસ શેખ નહ્યાન બિન મુબારક અલ નહ્યાનની ‘રાજાધિરાજ: લવ. લાઈફ. લીલા’ નિહાળ્યા બાદ પ્રતિક્રિયા – – દુબઈમાં આ અનન્ય મેગા મ્યુઝિકલને મળ્યો અપાર પ્રતિસાદ –  યુ.એ.ઇ., તા. ૧૮-૦૩-૨૦૨૫         (કુંજન રાડિયા દ્વારા) […]

પાકિસ્તાનની જેલોમાં હાલમાં 194 ભારતીય માછીમારો કેદ, 123 ગુજરાતના

– રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને વિદેશ રાજ્યમંત્રીએ આપી માહિતી –  જામ ખંભાળિયા, તા. ૧૮-૦૩-૨૦૨૫      (કુંજન રાડિયા દ્વારા) આજ પર્યંત 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે, જેમાંના 123 ગુજરાતના છે. ગુજરાતના આ 123 માછીમારોમાંથી 33 એવા છે કે જે 2021ની સાલથી, 68 માછીમારો 2022ની સાલથી પાકિસ્તાની જેલમાં કેદ છે. જ્યારે ગુજરાતના નવ માછીમારોને […]

ખંભાળિયામાં આજે “મારા સપનાની ઉડાન”: મેગા એક્ઝિબિશનનું આયોજન

– મુંબઈના જયાબેન કુમળદાસ અમલાણી ચેરી. ટ્રસ્ટ દ્વારા મહિલાઓ માટે આયોજન – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૩-૨૦૨૫        ખંભાળિયામાં સૌ પ્રથમ વખત બહેનો દ્વારા “મારા સપનાની ઉડાન” મેગા એક્ઝિબિશનનું ભવ્ય આયોજન આવતીકાલે રવિવારે કરવામાં આવ્યું છે.          મહિલા સશક્તિકરણને ઉજાગર કરતું મહિલાઓ દ્વારા વસ્તુઓનું પ્રદર્શન, વેચાણ અને જાહેરાતનું આ […]

દ્વારકાના જગદગુરૂ શંકરાચાર્ય સદાનંદજીના પ્રયાસોથી ઝારખંડના 68 પરિવારના 200 લોકો મૂળ ધર્મમાં પાછા ફર્યા

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૩-૨૦૨૫      દ્વારકાના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા ઝારખંડના ગ્રામીણ આદિવાસી વિસ્તારમાં ગહન સમજ આપી વનવાસી સમુદાયના 68 પરિવારના 200 જેટલા લોકોને પુનઃ મૂળ સનાતન ધર્મમાં પરત લાવવામાં સફળતા મેળવી હતી.               દ્વારકાના શારદાપીઠાધીશ્વર સદાનંદજી મહારાજના સાનિધ્યમાં ઝારખંડના આદિવાસી વિસ્તાર પશ્ચિમ સિંહભૂમના પરાખંડ ગોઈલકેરાના […]

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સીઆઈએસએફના સ્થાપના દિન અંતર્ગત સાયકલ રેલીનું આગમન

– આરાધના ધામ ખાતે સાયકલિસ્ટોનું સ્વાગત કરાયું –  જામ ખંભાળિયા, તા. ૧૧- ૦૩-૨૦૨૫      કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ સી.આઈ.એસ.એફ.ના 56 મા સ્થાપના દિન અંતર્ગત ‘સુરક્ષિત તટ, સુરક્ષિત ભારત’ના સૂત્ર સાથે સાયકલ રેલી યોજાઈ રહી છે. આ રેલી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકાના આરાધના ધામ ખાતે આવી પહોંચતા ગ્રામજનો અને આગેવાનો દ્વારા રેલીનું સ્વાગત કરવામાં […]

દ્વારકા: ફુલડોલ ઉત્સવ મનાવવા આવતાં લાખો ભાવિકોને આવકારવા તંત્ર દ્વારા ચાલતી તડામાર તૈયારીઓ

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૩-૨૦૨૫          યાત્રાધામ દ્વારકામાં ચાર દિવસ બાદ હોળી – ફુલડોલ ઉત્સવ મનાવવા દૂર દૂરથી પગપાળા, રેલ રોડ રસ્તે લાભો ભાવિકોનો પ્રવાહ દ્વારકા તરફ ફંટાઈ રહ્યો છે. ત્યારે યાત્રીકોને સરળતાથી દર્શન થઈ શકે તે હેતુ યાત્રીકોની સલામતી, સગવડતા, સફાઈ, વ્યવસ્થાની જાળવણી હેતુ વિવિધ વ્યવસ્થા તંત્ર દ્વારા સમન્વય યોજી આગામી તહેવારો […]

Back to Top