Headlines

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા: સ્વ. શંકરલાલ રામશંકર શુક્લના પુત્ર સુનિલભાઈ (ઉ.વ. 60) તે નવીનભાઈ (પેન્ટર) અને સરોજબેન (ભુજ)ના ભાઈ, નીતાબેનના દિયર અને રોહિતના પિતરાઈ ભાઈ તારીખ 8 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર તા. 12 ના રોજ સાંજે 4:30 થી 5 અત્રે શ્રી શરણેશ્વર મહાદેવના મંદિર ખાતે રાખવામાં આવેલ છે.  _____________________________________________________________________________ (કુંજન રાડિયા)

Read More

પોરબંદરમાં રોટરી ક્લબ દ્વારા માનવસેવા પહેલ: ખાટલા વિતરણ કાર્યક્રમ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરમાં સમાજના જરૂરિયાતમંદ વર્ગના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખી રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા આજરોજ ખીજડી પ્લોટ ગાર્ડન, પોરબંદર ખાતે ખાટલા (પલંગ) વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.શહેરના રોડ તથા ગલી વિસ્તારોમાં સફાઈ કાર્ય કરતા તેમજ ઝૂંપડામાં રહેતા કામદારોના પરિવારજનો માટે આયોજિત આ માનવસેવા કાર્ય અંતર્ગત કુલ 100 ખાટલા (પલંગ) નું…

Read More

જામનગર સમૂહ લગ્ન ઉત્સવ સમિતિ દ્વારા જામ વંથલીમાં યોજાયેલા ભવ્ય લગ્નોત્સવમાં 79 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા- સમસ્ત પંચકોશી ભરવાડ સમાજના અગ્રણી રાજુભાઈ ભરવાડનું સન્માન કરાયું

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૨-૨૦૨૬        જામનગર જિલ્લાના જામ વંથલી ગામ ખાતે જામનગર જિલ્લા સમસ્ત પંચકોશી ભરવાડ સમાજ આયોજિત 15 મા સમૂહ લગ્ન ઉત્સવમાં કુલ 79 નવદંપતીઓએ દાંપત્યજીવનમાં પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ સમાજની એકતા, સંસ્કૃતિ અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો.       આ સમૂહ લગ્ન ઉત્સવમાં…

Read More

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૬ (કુંજન રાડિયા દ્વારા)         ધનરાજભાઈ પરિમલભાઈ નથવાણી ફોર્ચ્યુન-500 કંપની ગણાતી તેમજ ભારતના ખાનગી ક્ષેત્રના સૌથી મોટા કોર્પોરેશન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)માં ગ્રુપ પ્રેસિડેન્ટનો હોદ્દો ધરાવે છે. કાપડ અને પોલિએસ્ટર કંપનીમાંથી રિલાયન્સ ઉત્ક્રાંતિ પામીને એનર્જી, મટિરિયલ્સ, રિટેલ, એન્ટરટેઈનમેન્ટ અને ડિજિટલ સેવાઓ સહિતના ક્ષેત્રોમાં કાર્યરત બનીને ટોચના ઉદ્યોગગૃહમાં પરીવર્તન પામી…

Read More

વળાવડ ખાતે વળાવડી માતાજી મંદિરનો દ્વિતીય વાર્ષિક પાટોત્સવ સંપન્ન

મૂકેશ પંડિત, ભાવનગર ગુરુવાર તા.૨૯/૧/૨૦૨૬ ગોહિલવાડના ગૌરવ અને મહેતા તથા દવે કુટુંબની કુળદેવી રાજ રાજેશ્વરી શ્રી વળાવડી માતાજી મંદિર, નવદુર્ગાધામ – વળાવડ ખાતે મહા સુદ એકાદશી, ગુરુવાર તા. ૨૯-૦૧-૨૦૨૬ના રોજ દ્વિતીય વાર્ષિક પાટોત્સવ ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક યોજાયો હતો.આ પાવન પ્રસંગે મહેતા તથા દવે કુટુંબ સભ્યોએ હાજરી આપી હતી. પાટોત્સવ અંતર્ગત નવચંડી યજ્ઞ, શ્રીયંત્ર પૂજન, માતાજીના…

Read More

ઘડી કંપની દ્વારા કુરંગા ખાતે આવી રીતે ઉજવાયું પ્રજાસત્તાક પર્વ

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૬       દ્વારકાના કુરંગા સ્થિત આર.એસ.પી.એલ. (ઘડી) કંપની દ્વારા પ્રજાસતાક દિન નિમિત્તે જિલ્લાની 35 જેટલી શાળાઓના અંદાજે 720 જેટલા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરી, સન્માનિત કર્યા હતા.      સોમવારે 77 મા પ્રજાસત્તાક પર્વના અવસરે દ્વારકા નજીક કુરંગા ખાતે આવેલી આર.એસ.પી.એલ. (ઘડી) કંપની દ્વારા સી.એસ.આર. (આર.એસ.પી.એલ. વેલ્ફેર ફાઉન્ડેશન) દ્વારા જિલ્લાની…

Read More

પ્રાણીઓના અધિકાર માટે પોરબંદર સહિતના ભારત વરના શહેરોમાં અવાજ બુલંદ થયો

ભારતમાં પ્રાણીઓના મૂળભૂત અને નૈતિક અધિકાર માટે 26 જાન્યુઆરીએ વિવિધ રેલીઓ અને પ્રતિજ્ઞાઓ સાથે પોરબંદર સહિત દેશના અનેક શહેરમાં અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. 26મી જાન્યુઆરી ચળવળ શું છે?Animal Rights 3.0 | Republic 4 All Lives 26મી જાન્યુઆરી — ભારતના પ્રજાસત્તાક દિવસે — ભારતના નાગરિકો અને વિશ્વભરમાં વસતા ભારતીયો પ્રાણીઓના અધિકાર માટે એકસાથે, રાષ્ટ્રીય સ્તરે સંકલિત…

Read More

ખંભાળિયામાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિનો સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૬        ખંભાળિયામાં સમસ્ત વરિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ દ્વારા તાજેતરમાં વસંત પંચમીના પાવન પર્વ નિમિત્તે જ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંના મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે યોજવામાં આવેલા આ 36 માં સમૂહ લગ્નમાં ઉપસ્થિત આગેવાનો, જ્ઞાતિજનોએ નવદંપતીઓને શુભાશીષ અને શુભકામનાઓ પાઠવી હતી. આ આયોજન માટે જ્ઞાતિના હોદ્દેદારો, કાર્યકરોએ નોંધપાત્ર જહેમત…

Read More

પોરબંદરમાં તેલંગાણાની 500 કૂતરાઓની સામુહિક હત્યા સામે શાંતિપૂર્ણ કૅન્ડલ લાઇટ વિજિલ યોજાઈ : ઉદય કારાવદરા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર તાજેતરમાં તેલંગાણા રાજ્યમાં બનેલી એક અત્યંત દુઃખદ અને અમાનવીય ઘટનામાં લગભગ 500 નિર્દોષ સ્ટ્રીટ શ્વાનનો ક્રૂર રીતે હત્યાકાંડ કરવામાં આવ્યો. મળતી માહિતી અનુસાર આ બેજુબાન જીવોને ઝેર આપી આયોજનબદ્ધ રીતે મારી નાખવામાં આવ્યા, જે ભારતીય કાયદા તેમજ માનવતા બંનેના ઘોર ઉલ્લંઘન સમાન છે.આ નિર્દોષ પ્રાણીઓ ન તો કોઈ માટે જોખમરૂપ હતા,…

Read More

બેટ દ્વારકામાં દેવસ્થાન સમિતિના નિર્ણય સામે તીર્થ પુરોહિતો દ્વારા કાળી પટ્ટી સાથે વિરોધ

– 25 દિવસથી યજમાનવૃત્તિ કરતા બ્રાહ્મણો આવક વિહોણા – કુંજન રાડિયા, જામ ખંભાળિયા        બેટના દ્વારકાધીશ મંદિરમાં દેવસ્થાન સમિતિ દ્વારા યજમાનવૃત્તિ કરનારા બ્રાહ્મણોને પ્રવેશ નિષેધના નિર્ણયને 25 દિવસ થવા છતાં ઉકેલ ન આવતા બ્રાહ્મણો દ્વારા કાળી પટ્ટી બાંધી દેવસ્થાન સમિતિના નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.      આજરોજ બેટ દ્વારકાધીશ મંદિર નજીક…

Read More