Friday June 20, 2025

ખંભાળિયાની દાઉજીની હવેલીમાં આવતીકાલે નાવના દર્શન

– શુક્રવારે આંબા મનોરથના દર્શનનું આયોજન – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૬-૨૦૨૫      ખંભાળિયામાં ગુગળી ચોક વિસ્તારમાં આવેલી જાણીતી શ્રી દાઉજીની હવેલી ખાતે ગુરુવાર તા. 5 ના રોજ સાંજે નાવના દર્શન તેમજ શુક્રવારે સાંજે આંબા મનોરથના અલભ્ય દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને હવેલીના મુખ્યાજી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

પોરબંદરના રાતીયા ગામે ઘેડીયા કોળી સમાજ દ્વારા નવનિર્મિત મંદિરમાં મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આસ્થાભેર યોજાયો

પોરબંદરપોરબંદર નજીક રાતીયા ગામે વાડી વિશ્રામમાં રાતીયના ઘેડીયા કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં ઘેડીયા કોળી સમાજ વાડી બે રોડ ખાતે નૂતન નવનિર્મિત મંદિરમાં રામદેવજી મહારાજ તથા મોકરીયા પરિવારની આરાધ્ય દેવી વીજ વાસણ માતાજીની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સામેયા, બારોટના ચોપડે નામકરણ, રામદેવજીનો પાટોત્સવ, સંત વાણી, મુખ્ય દાતા અભિવાદન, […]

ખંભાળિયાના સલાયામાં યોજાયો રઘુવંશી વિદ્યાર્થી સન્માન સમારોહ

– મોટી સંખ્યામાં જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ થયા પુરસ્કૃત – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૨-૦૬-૨૦૨૫         ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રઘુવંશી જ્ઞાતિના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જ્ઞાતિ અગ્રણીઓ વિગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સુંદર કાર્યક્રમમાં જ્ઞાતિના ઉચ્ચ ટકાવારી મેળવેલા વિદ્યાર્થીઓનું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું.          સલાયા […]

શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ભાવનગર દ્વારા આયોજિત “જ્યોતિ કળશ યાત્રા” નું ભાવનગર પંથકમાં પરિભ્રમણ

દિવ્ય અખંડ જ્યોતિ કળશ નું ટીમાણા ગામ ખાતે સ્વાગત થયું હરેશ જોષી, ટીમાણા માનવમાં દેવત્વનો ઉદય થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય તેમજ સૌની વિચાર શુધ્ધિ થાય તે માટે શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત જ્યોતિ કળશ યાત્રાનું ભાવનગરના દરેક તાલુકા અને ગ્રામ્ય પંથકમાં પરિભ્રમણ શરૂ રહ્યું છે.આજે આ ખાસ વાહનમાં જ્યોતિ કળશ યાત્રાની તળાજા તાલુકાના ટીમાણા […]

દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જંતુનાશક દવા છંટકાવ કરાયો

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૬-૨૦૨૫       વર્ષ 2025 માટે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા “Malaria ends with us: Reinvest, Reimagine, Reignite” (મેલેરિયા આપણી સાથે સમાપ્ત થાય છે: ફરીથી રોકાણ કરો, ફરીથી કલ્પના કરો, ફરીથી પ્રજવલિત કરો) થીમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે.       […]

ખંભાળિયા: શાળાના પૂર્વ આચાર્યએ પૂર્વ વિદ્યાર્થીઓને “સ્મૃતિકાષ્ટ”ની લાકડી વડે ફટકાર્યા…

– દાયકાઓ જૂની શૈક્ષણિક સંસ્થામાં યોજાયો અવિસ્મરણીય કાર્યક્રમ – – પીઢ બની ચૂકેલા પૂર્વ વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીકાળની યાદો તાજા કરી – જામ ખંભાળિયા, તા. ૦૧-૦૬-૨૦૨૫        ખંભાળિયા પંથકમાં શૈક્ષણિક ક્ષેત્રે પ્રથમ હરોળનું નામ ધરાવતી શ્રી સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ શાળામાં શનિવાર તેમજ રવિવારે બે દિવસીય પૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ સારસ્વત સ્મૃતિ મિલન […]

ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભરવાડ સમાજ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૬-૨૦૨૫       દેવભૂમિ દ્વારકા જિલ્લાના શ્રી સમસ્ત ભરવાડ જ્ઞાતિ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આજરોજ ખંભાળિયાના ટાઉનહોલ ખાતે સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12 માં ઉચ્ચ ટકાવારી હાંસલ કરેલા વિધાર્થીઓ તેમજ સરકારી ક્ષેત્રે નોકરી મેળવનાર ભરવાડ સમાજના 200 થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ, યુવાનો અને […]

ભાવનગરમાં વાળંદ સમાજ માટે નિ:શુલ્ક એમ્બ્યુલન્સનો પ્રારંભ

વિપુલ હિરાણી, ભાવનગર વાળંદ સમાજ ભાવનગર શહેર માટે એમ્બ્યુલન્સ ની નિ:શુલ્ક સેવા નો પ્રારંભ થઈ રહ્યો છે. ભાવનગર મહાનગરપાલિકાની હદમાં નિ:શુલ્ક સેવા એમ્બ્યુલન્સ ડેડ બોડી માટે નિ:શુલ્કસેવા વિજયભાઈ કાંતિભાઈ હિરાણી આપશે. ભરતનગર સિંગલિયા પ્લોટ નંબર 73 મેલડીમાંના મંદિર પાસે ભરતનગર ભાવનગર મો. નં. 9825844232 આ સેવાનો પ્રારંભ સંત શ્રી સેન મહારાજની જન્મ જયંતી મહોત્સવ પ્રસંગે […]

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૫-૨૦૨૫ જામ જોધપુર નિવાસી સ્વ. હસમુખભાઈ જમનાદાસ ગંઢેચા ના પુત્ર અમિતભાઈ (ઉ.વ. 43) તે કનકભાઈ, મહેશભાઈ અને ભદ્રેશભાઈના ભત્રીજા તથા નવ્યા અને ધ્યેયના પિતાશ્રી તેમજ પૂજાબેન અને શ્વેતાબેનના ભાઈ તથા સ્વ. અમૃતલાલ કરસનદાસ સામાણી (ખંભાળિયા)ના જમાઈ તા. 8 ના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું તથા સસરા પક્ષને સાદડી શુક્રવાર તારીખ 9 […]

કમોસમી વરસાદની આગાહી સંદર્ભે તંત્ર દ્વારા કૃષિકારોને માર્ગદર્શન

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૫-૨૦૨૫          હવામાન વિભાગની આગાહી મુજબ તા. 9 મે સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં વેસ્ટર્ન ડિસ્ટેબન્સને પગલે વાતાવરણમાં પલટો જોવા મળશે. રાજયના તમામ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદની આગાહી કરવામાં આવી છે. વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષી ખેડૂતોને પાકના રક્ષણ માટે તકેદારીનાં પગલા લેવા ખેડૂતોને સંદેશ આપવામાં […]

Back to Top