ભાણવડ શિવ બળદ આશ્રમના તમામ બળદોને પીરસાયા 3200 કિલો તરબૂચ

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫
ભાણવડ પંથકમાં જીવદયા માટે છેલ્લા આશરે દોઢ દાયકાથી વધુ સમયથી કાર્યરત સંસ્થા એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શિવ બળદ આશ્રમ ખાતે હાલ 89 જેટલા વૃદ્ધ, અશક્ત અને નિરાધાર બળદને આશરો આપવામાં આવ્યો છે. ત્યારે અહીં આશરો લઈ રહેલ તમામ બળદને સિઝન મુજબ શાકભાજી, ફ્રુટ જેવું ખાસ ભોજન પીરસાય છે,
હાલ કાળઝાળ ગરમીની શરૂઆતના દિવસોમાં બળદને ટાઢક મળી રહે તે માટે ગઈકાલે આશ્રમના તમામ બળદને 3200 કિલો તરબૂચનું ભોજન પીરસાયું હતું. વળી આ તરબૂચ બળદ સરળતાથી ખાઈ શકે તે માટે તેને સુધારીને ટુકડા કરીને અપાયા હતા. હાલ તરબૂચની સીઝનની શરૂઆત જ થઈ છે, ત્યારે આ સિઝન પૂરી થાય ત્યાં સુધીમાં હજુ પણ આવું આયોજન કરશે તેમ પણ આયોજકોએ હતું.
આશ્રમના તમામ બળદને તરબૂચ પાર્ટીની આ સેવા પ્રવૃતિમાં શિવ બળદ આશ્રમના પ્રમુખ અશોકભાઈ ભટ્ટ, વિજયભાઈ ખૂંટી, મેરામણભાઈ, દત્તભાઈ દેસાઈ, લક્ષેશભાઈ વાણિયા, ધવલ સોનગરા, અક્ષય સૂચક અને વિજય જોડ જોડાયા હતા.








(ફોટો:- કુંજન રાડિયા)