જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૬
ખંભાળિયામાં હનુમાનજી જન્મોત્સવના પાવન પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી મારુતિ રામધૂન મંડળ દ્વારા બટુક ભોજન તેમજ મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું. જેમાં અગ્રણી ઈન્દ્રજીતસિંહ પરમાર, જીગ્નેશભાઈ પરમાર, લાલજીભાઈ ભુવા, અશોકભાઈ કાનાણી, રેખાબેન ખેતિયા, ભીખુભા જેઠવા, અજુભાઈ ગાગીયા, બલુભાઈ ગઢવી, રાણાભાઈ ગઢવી, જયેશભાઈ કણજારીયા, મનીષભાઈ નકુમ સહીતના આગેવાનોએ ઉપસ્થિત રહી મારુતિ રામધુન મંડળના મહંત સુરેશભાઈ નિમાવતને સન્માનિત કરી, આશીર્વાદ મેળવ્યા હતા.
_____________________________________________________________________________
(ફોટો:- કુંજન રાડિયા)
