Headlines

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ અભિયાન : ગાયત્રી મંદિર પાસે ૨૯ વૃક્ષોનું વાવેતર




મ્યુનિસિપલ કમિશ્નરશ્રીના માર્ગદર્શનમાં શહેરને હરિયાળું બનાવવા મનપાનો સરાહનીય પ્રયાસ


ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર


પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરને વધુ હરિયાળું અને પર્યાવરણમૈત્રી બનાવવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત ગાયત્રી મંદિર નજીક રોડ પર આવેલા ખુલ્લા પ્લોટમાં વિવિધ જાતિના કુલ ૨૯ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
મહાનગરપાલિકા દ્વારા કાયજેલીયા, વડલા, પારસપીપળા, પીપળો, તબુડીયા અને કરંજ સહિતના વૃક્ષોનું આયોજનબદ્ધ રીતે વાવેતર કરવામાં આવ્યું છે. આ કામગીરી પોરબંદર મ્યુનિસિપલ કમિશ્નરશ્રીના માર્ગદર્શનમાં હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં પર્યાવરણનું સંરક્ષણ થાય, પ્રદૂષણમાં ઘટાડો થાય તેમજ લોકોને શુદ્ધ અને સ્વચ્છ વાતાવરણ મળી રહે તે હેતુસર મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ અભિયાનને વધુ ગતિ આપવામાં આવી રહી છે. ખાસ કરીને ચોમાસાની ઋતુ નજીક આવી રહી હોવાથી આ સમયગાળા દરમિયાન વાવવામાં આવતા વૃક્ષોનો ઉછેર સારી રીતે થાય તે બાબતને ધ્યાનમાં રાખીને યોગ્ય આયોજન સાથે વાવેતર કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોની જાળવણી અને નિયમિત સંભાળ માટે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પોરબંદર શહેરને હરિયાળું અને પર્યાવરણપ્રેમી બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા ભગીરથ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેને સ્થાનિક નાગરિકોમાંથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *