વિપુલ હિરાણી દ્વારા
ભાવનગર તા.૭
ભાવનગરમાં આનંદપટ્ટણી પ્રેરિત, સ્વર આનંદ ગૃપ દ્વારા આયોજીત જુના નવા સુમધુર ફિલ્મી ગીતો નો ૩૧ મો કાર્યક્રમ કરાઓકે ટ્રેક પર તા. ૮//૩/૨૦૨૬ ને રવિવારે સાંજે ૬.૦૦ થી ૯.૦૦ શિશુ વિહાર રંગમંચ પર લાઇવ રજુ થશે, જેમાં આનંદપટ્ટણી, ઈશાની પટ્ટણી,ડો. રવિ થોરાત, કેતન રાવલ, , ડો.અનિલભાઈ ગોહિલ, ઘનશ્યામ રાવલ,પાર્થ પડાયા અને કમલેશ ચૌહાણ ગીતો રજુ કરશે. કાર્યક્રમ ની ઉદઘોષણા નિરુપમા પટ્ટણી કરશે. કાર્યક્રમ વિનામૂલ્યે ભાવનગર ની કલા પ્રેમી જનતા માટે રાખેલ છે.
