
જામ ખંભાળિયા, તા. ૦૮-૦૬-૨૦૨૬
ખંભાળિયાની સત્યમ સેવા સમિતિ તેમજ મુંબઈ સ્થિત દાતા સદગૃહસ્થ નિલેશભાઈ ખીમાણીના આર્થિક સહયોગથી અહીંના શક્તિનગર વિસ્તારમાં આવેલી જાણીતી નરસિંહ મહેતા ગૌશાળામાં આશ્રય લઈ રહેલી ગાયો માટે 180 મણ સુકા નિરણનું અનુદાન આપી અનોખી ગૌસેવા કરવામાં આવી છે. આ સેવા પ્રવૃત્તિને બિરદાવી, ગૌશાળાના ટ્રસ્ટીઓ વિગેરે દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
