Headlines

વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને રામેશ્વરમ્ તીર્થસ્થાનમાં ભાગવત સપ્તાહ

જાળિયા શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા થનાર આયોજન

મૂકેશ પંડિત, જાળિયા

સેતુબંધ રામેશ્વરમ્ તીર્થસ્થાનમાં શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભાગવત સપ્તાહ લાભ મળનાર છે. જાળિયા શ્રી શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા આયોજન થનાર છે.

ભારતવર્ષનાં મહાત્મ્યભર્યા સેતુબંધ રામેશ્વરમ્ તીર્થસ્થાનમાં શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભક્તિભાવ સાથે આયોજન થઈ રહ્યું છે.

જાળિયા શ્રી શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા આ આયોજન થનાર છે. સપ્તાહ ક્થા પ્રારંભ શુક્રવાર તા.૨૪/૪/૨૦૨૬ અને વિરામ ગુરુવાર તા.૩૦/૪/૨૦૨૬ના થશે.

તમિલનાડુમાં આવેલ સુપ્રસિધ્ધ રામેશ્વરમ્ તીર્થસ્થાન દર્શન સાથે આ ભાગવત લાભ શ્રવણ મળનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *