જામ ખંભાળિયા, તા. ૨૫-૦૪-૨૦૨૬
ઓખામાં માછીમારી યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો
ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા અને મૂળ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રહીશ બહાદુભાઈ ભાણાભાઈ હળપતિ નામના 42 વર્ષના યુવાનને ગઈકાલે શુક્રવારે ઓખાથી આશરે 20 નોટિકલ દૂર દરિયામાં ભોલેનાથ નામની બોટમાં સુતા બાદ ઊંઘમાં હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ દશરથભાઈ નાનુભાઈ ટંડેલે ઓખા મરીન પોલીસને કરી છે.
