જામ ખંભાળિયા, તા. ૨૭-૦૫-૨૦૨૬
અવસાન નોંધ
જામ ખંભાળિયા: અહીંની સેવાભાવી સંસ્થા શેઠ હરજીવન નરોત્તમદાસ પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી અને હાલાઈ ભાટીયા સ્વ. પુરુષોત્તમ ઠાકરશીભાઈ રાજડા તથા સ્વ. પ્રેમકુંવરબાઈ રાજડાના સુપુત્ર ધૈર્યસિંહ પુરુષોત્તમ રાજડા (ઉ.વ. 78) તે પ્રીતિબેનના પતિ, જય અને યશના પિતા, સ્વ. ઇન્દુબેન, સ્વ. હેમુબેન, સ્વ. ચંદ્રીબેન, સ્વ. કુસુમબેન, સ્વ. પન્નાબેન તથા દીનાબેનના ભાઈ તેમજ યશવંતસિંહ ખીમજી સંપટના જમાઈ ગુરૂવાર તા. 21-05-2026 ના રોજ મુંબઈ ખાતે શ્રીજી ચરણ પામ્યા છે.
તેમની પ્રાર્થનાસભા ગુરૂવાર તારીખ 28-05-2026 ના રોજ સાંજે 5:30 થી 6:30 અત્રે પોર ગેટ પાસે રામનાથ ચોકમાં આવેલી શેઠ હરજીવનદાસ નરોત્તમદાસ પાંજરાપોળ ખાતે રાખવામાં આવેલ છે.
______________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
