સંસદમાં થયેલ ધકામુકીથી ભાજપના મહિલા સાંસદ સહિત ત્રણ સાંસદો ઘાયલ
ભાવનગર
તાજેતરમાં સંસદ ભવનમાં રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ ધક્કાધક્કીમાં સાંસદ મુકેશ રાજપૂત, પ્રતાપ સારંગી અને એક મહિલા સાંસદ ઘાયલ થયેલ. ભારતરત્ન ન આપીને બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબની અત્યાર સુધી ઉપેક્ષા થયેલ. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબા સાહેબના ગૌરવગાથા જેવા મહાન કાર્યોને ભારતરત્ન દ્વારા સન્માનવામાં આવેલ. તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રીના ભાષણનો તોડી મરોડીને વિરોધ પક્ષોએ રાજકીય ઉપયોગ કરવાનો હીન પ્રયાસ કરેલ, ત્યારે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા આ ઘટનાનો વિરોધ કરતા રૂપમ ચોક ખાતે પૂતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવેલ, જેમાં ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય શ્રી જીતુભાઇ વાઘાણી, મેયર ભરતભાઇ બારડ, સ્ટે. ચેરમેન રાજુભાઇ રાબડીયા, મહામંત્રી પાર્થભાઈ ગોંડલીયા અને નરેશભાઈ મકવાણા સહિત શહેર અને વોર્ડ સંગઠન, મ.ન.પાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને નગર સેવકો, વરિષ્ટ આગેવાનો, યુવા અને મહિલા મોરચા સહિત તમામ સેલ મોરચા અને સમિતિઓના હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં, અને દેશ માટે અગત્યના મુદ્દાઓની ચર્ચા થવાની હોય ત્યારે યેનકેન પ્રકારે સંસદની કાર્યવાહીમાં બાધારુપ થનારા વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું પૂતળું બાળીને બાબાસાહેબ અમર રહો, બંધારણ અમર રહો તેમજ બાબા સાહેબકા અપમાન નહીં સહેંગે… જેવા સુતત્રોચ્ચાર કરેલ. અભયસિંહ ચૌહાણ અને જીતુભાઇ વાઘાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીજીની કેન્દ્ર સરકાર અત્યારે બંધારણનો ૭૫ મો અમૃત મહોત્સવ ઉજવી રહી છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ નિંદનીય છે. અંતે મહામંત્રી નરેશભાઈ મકવાણાએ આભારવિધિ કરેલ.




