ભાવનગર
મુસાફરોની સુવિધા માટે અને મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોની વધારે ભીડ ને ધ્યાનમા રાખીને, પશ્ચિમ રેલવેએ વેરાવળ અને બનારસ સ્ટેશન વચ્ચે વેરાવળથી 22 ફેબ્રુઆરી, 2025ના રોજ વિશેષ ભાડા પર “મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છેઃ
ટ્રેન નંબર 09591/09592 વેરાવળ-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ
ટ્રેન નંબર 09591 વેરાવળ-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ 22 ફેબ્રુઆરી, 2025ના રોજ વેરાવળથી 22:20 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 14.45 કલાકે બનારસ પહોંચશે. તેવી જ રીતે, 24 ફેબ્રુઆરી, 2025ના રોજ ટ્રેન નંબર 09592 બનારસ-વેરાવળ મહાકુંભ મેળા સ્પેશિયલ બનારસથી 19:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે વેરાવળ 09:00 કલાકે પહોંચશે. આ ટ્રેન દોડશે. આ ટ્રેન બંને દિશામાં રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, ફાલના, રાણી, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદીકુઇ, ભરતપુર, આગરા ફોર્ટ, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09591 માટે બુકિંગ 24મી ડિસેમ્બર, 2024 (મંગળવાર) થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરુ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.