Saturday June 21, 2025

મીઠાપુર પંથકની બે પરિણીતાઓને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા
       દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતી અને ડોસાભાઈ ફફલની 36 વર્ષની પરિણીત પુત્રી પુષ્પાબેન નિલેશભાઈ મણવરને તેણીના લગ્ન જીવન દરમિયાન રાજકોટના રૈયા વિસ્તારમાં રહેતા તેણીના પતિ નિલેશ ડાયાભાઈ મણવર ,સાસુ અંજુબેન અને નણંદ મીનાબેન જીતુભાઈ સોલંકી દ્વારા શારીરિક તથા માનસિક દુઃખ ત્રાસ આપી, બિભત્સ ગાળો કાઢીને માર મારવા સબબ મીઠાપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. 

      અન્ય એક ફરિયાદમાં મીઠાપુરમાં ટાટા ટાઉનશીપ ખાતે રહેતી અને દિનેશભાઈ સિંગરખીયાની 29 વર્ષની પરિણીત પુત્રી હેતલબેન વિજયભાઈ મકવાણાને વડોદરા ખાતે રહેતા તેણીના પતિ વિજયભાઈ અમૃતલાલ મકવાણા, સસરા અમૃતલાલ ઘેલાભાઈ મકવાણા, સાસુ મધુબેન, જેઠ યોગેન્દ્રભાઈ અને જેઠાણી સોનલબેન દ્વારા તેણીના લગ્ન જીવન દરમિયાન શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપી, બિભત્સ ગાળો કાઢી, હેરાન પરેશાન કરવામાં આવતા આ અંગે મીઠાપુર પોલીસે તમામ પાંચ સાસરીયાઓ સામે સ્ત્રી અત્યાચારની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top