એક સમયે મોરબીથી નીકળેલી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની છાત્ર શક્તિ રથયાત્રાએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવેશ કર્યો
કુંજન રાડિયા, જામ ખંભાળિયા
તા. 20 ડિસેમ્બર,1973 રોજ મોરબીનામાં આવેલ એલ.ઈ. એન્જિનિયરિંગ કોલેજના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ દ્વારા શરૂ થયેલું આંદોલન આગળ જતાં નવ નિર્માણ આંદોલનના સ્વરૂપમાં જોવા મળ્યું હતું. આ આંદોલનને 50 વર્ષ પૂર્ણ થયા છે. જેની ઉજવણીના ભાગરૂપે તા. 20 ડિસેમ્બરથી મોરબીથી નીકળેલી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની છાત્ર શક્તિ રથયાત્રાએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવેશ કર્યો હતો.
આ સાથે ખંભાળિયામાં આવેલી વિવિધ કોલેજના કેમ્પસમાં છાત્ર શક્તિ યાત્રા જઈને અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ આંદોલનથી વિદ્યાર્થી તાકાતનો અહેસાસ કરાવ્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા આ રથયાત્રાનું સ્વાગત ઉત્સાહ અને ઉષ્માભેર કરવામાં આવ્યો હતો. જેમાં અનેક વિદ્યાર્થીઓ જોડાયા હતા.
આ સાથે અનેક કોલેજોમાં બૌદ્ધિક કાર્યક્રમમાં પણ જોડાયા હતા. આ રથયાત્રામાં જિલ્લા પ્રમુખ દીપકભાઈ રાઠોડ, સંયોજક ચિંતનભાઈ ખાણધર, સંગઠન મંત્રી જયદેવસિંહ જેઠવા તથા ખંભાળિયા નગરના કાર્યકર્તાઓ દ્વારા વિદ્યાર્થીઓને નવ નિર્માણ આંદોલન વિશેની માહિતીઓ આપવામાં આવી હતી.




