દ્વારકામાં મહિલાને મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ
કુંજન રાડીયા, જામ ખંભાળિયા
દ્વારકામાં આવેલા આંબેડકર નગર વિસ્તારમાં રહેતા વંદનાબેન રામજીભાઈ પરમાર નામના 32 વર્ષના મહિલાના ઘરે આવી અને મીઠાપુરના રહીશ રાકેશ ધનાભાઈ રોશિયા અને એક અજાણી મહિલાએ ફરિયાદી વંદનાબેનના ઘરના દરવાજામાં પગથી પાટુ મારી અને ખખડાવતા વંદનાબેનના પિતાએ દરવાજો ખોલ્યો હતો અને પૂછતા આરોપીઓએ કહેલ કે “મધુબેનને કહેજો તૈયારીમાં રહે. અમે ગમે ત્યારે આવીને મર્ડર કરી નાખશું”- તે પ્રકારની ધમકી આપતા દ્વારકા પોલીસે અજાણી મહિલા સહિત બંને સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.