સ્નાનના ૨૦ રૂ., શૌચાલયના ૧૦ રૂ. અને પેશાબ કરવાના ૫ રૂપિયાનું ઓફિસિયલ બોર્ડ માર્યું છે પરંતુ ઉઘરાવાય છે બમણા બમણા
ભાવનગર જિલ્લા રેલયાત્રી સુરક્ષા સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીમનાણીને થયો કડવો અનુભવ: ઉચ્ચ કક્ષાએ કરશે રજૂઆત
અમદાવાદ
ખાણીપીણીમાં તો અમદાવાદ લોકોને લુટે જ છે પરંતુ ખાધા પછી અમુક સમય બાદ જેની જરૂર પડે છે તે શોચાલયની બાબતમાં પણ અમદાવાદમાં લૂંટ થતી હોવાનું લોકોમાંથી જાણવા મળી રહ્યું છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે આ કામ મોટા પાયે થઈ રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે.
ભાવનગર જિલ્લા યાત્રી સુરક્ષા સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિમનાણીએ જણાવ્યું કે અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન રેલ યાત્રીઓ પાસે ઉધાડી લૂટ થઈ રહી છે. અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશને ૧ નંબરના પ્લેટફોર્મ પર રેલ યાત્રી માટે શૌચાલય છે તેમા રેલ યાત્રીઓને સ્નાન માટે ૧૦ રૂપિયા, શૌચાલય માટે ૫ રૂપિયા અને પેશાબ માટે ૧ રૂપિયો તે પ્રમાણે બોડૅ મારેલ છે પરંતુ ત્યાં બેઠેલા કમૅચારીઓ દાદાગીરી કરી રેલ યાત્રીઓ પાસે સ્નાનના ૨૦ રૂપિયા, શૌચાલયના ૧૦ રૂપિયા અને પેશાબ કરવાના ૫ રૂપિયા ઉધરાણું કરે છે. ઉપરોક્ત કમૅચારીની ઉધાડી લૂટ વિષે જિલ્લા યાત્રિક સુરક્ષા સમીતીના પ્રમુખ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. પ્રમુખ કિશોરભાઈ ચિમનાણીએ “ધ ગ્રેટ વર્લ્ડ”ને વધુમાં કહ્યું કે તેઓ અવારનવાર હરિદ્વાર વગેરે સ્થળોએ જાય છે અને તેના માટે તેમને કાલુપુર રેલવે સ્ટેશન એ જવું પડે છે અને ત્યાં તેમણે આ બાબતનો જાત અનુભવ કર્યો છે.
