Friday August 08, 2025

રીક્ષા પલ્ટી ખાઇ જતાં પોસીત્રાના વૃદ્ધનું મૃત્યુ

જામ ખંભાળિયા

   દ્વારકા તાલુકાના પોસીત્રા ગામના વાડી વિસ્તારમાં રહેતા દેવજીભાઈ મૂળજીભાઈ પાંજરીવાલા નામના 60 વર્ષના વૃદ્ધ તેમના પુત્ર સાથે એક છકડા રિક્ષામાં પાછળના ભાગે મગફળીની ગુણી (બાચકા) પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે હાઈવે પરની ગોલાઈ પાસે રીક્ષા પલટી ખાઈ જતા દેવજીભાઈ નીચે પટકાઈ પડ્યા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ તથા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર મહેશભાઈ ખારવાએ દ્વારકા પોલીસને કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top