કુંજન રાડિયા, જામ ખંભાળિયા
કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા પેથાભાઈ જમનભાઈ કણજારીયા નામના 55 વર્ષના સતવારા પ્રૌઢ શનિવારે સાંજના સમયે તેમના જી.જે. 37 સી. 9871 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે લીંબડી ગામ નજીકના એક પેટ્રોલ પંપ પાસેથી પસાર થતી વખતે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકારાઈપૂર્વક આવી રહેલા એચ.આર. 26 એફ.એલ. 6200 નંબરના એક મોટરકારના ચાલકે પેથાભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે મૃતકના પિતરાઈ ભાઈ રમેશભાઈ ભોજાભાઈ કણજારીયા (ઉ.વ. 32, રહે. કેનેડી) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે પરપ્રાંતિય કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.