મૂકેશ પંડિત,પ્રયાગરાજ મંગળવાર તા.૧૪-૧-૨૦૨૫
ભારતવર્ષનાં ઐતિહાસિક પર્વ મહાકુંભપર્વ પ્રારંભ સાથે ઉત્તરાયણ પર્વ અખાડા અને વિવિધ ખાલસા તથા મહામંડલેશ્વર, સાધુ, મહંત તથા આચાર્યો દ્વારા વહેલી સવારથી ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ ક્ષેત્રમાં સ્નાન થયેલ છે. પ્રયાગરાજમાં સનાતન સંસ્કૃતિનાં વૈશ્વિક સ્વયંભુ મહાકુંભમેળામાં માત્ર ભારત જ નહિ સમગ્ર સંસારમાંથી ભાવિકો, શ્રદ્ધાળુઓ અને ભારતીય સંસ્કૃતિને જાણવા ઈચ્છુકો ભારે મોટી સંખ્યામાં ઉમટ્યાં છે. આ વૈશ્વિક મેળામાં ભાવિકો કરોડોની સંખ્યામાં ઉમટી રહ્યાં છે. સુરક્ષા સાથે વહીવટી તંત્ર દ્વારા ખૂબ ચોકસાઈ સાથે આ મેળા અને દિવ્ય પવિત્ર સ્નાન માટે સુચારુ પ્રબંધ થયેલ છે. ગઈકાલે સંસારી ભાવિકો માટે સ્નાન પર્વ બાદ આજે અખાડાનાં મુખ્ય સ્નાનપર્વમાં પણ ભાવિકોએ ડૂબકી લગાવી છે.





