Thursday August 07, 2025

કુંભમેળો : કોઈ પૂણ્ય માટે… કોઈ પેટ માટે…

તસવીર કથા : મૂકેશ પંડિત

પ્રયાગરાજ ગુરુવાર તા.૧૬-૧-૨૦૨૫

ઐતિહાસિક અને આધ્યાત્મિક એવો મહાકુંભમેળો ચાલી રહ્યો છે, પ્રયાગરાજમાં કરોડોની સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યાં છે. ગંગા યમુના સંગમ સ્થાનમાં યોજાતા આ મેળામાં કોઈ સ્નાન સાથે દર્શન પૂજન કરી પૂણ્ય પ્રાપ્ત કરવાં માટે ઉમટ્યાં છે… તો આ સાથે જ કોઈ પોતાનાં જીવન નિર્વાહ હેતુ પેટ માટે પણ આવ્યાં છે. નીચે વાગતાં ગીત સંગીત સાથે દોરડા પર બાળકો જોખમી સંતુલન સાથે યાચનાભાવ સાથે પ્રદર્શન કરી રહ્યાં છે. આપણે સૌ અધ્યાત્મ અને ધર્મ સાથે સંપૂર્ણ માનવ સેવાને જોડી દઈએ તો તો પ્રભુસેવા સર્વ તીર્થનું ફળ મળી જાય તેમાં શંકા નથી… પરંતુ અંધશ્રદ્ધા અને કેટલીકવાર ખરું પૂણ્યકાર્ય ચૂકી રહ્યાં છીએ… જે ભૂખ્યા કે દુખ્યા છે, તેને સહયોગ કરિયે તો… તો… ભગવાન પ્રાપ્ત નહિ થતાં હોય ? પેટ માટે બાળકો આવા જોખમી પ્રદર્શન કરનારાને સહાય કરિયે તો…?!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top