પોરબંદર
કલાનગરી પોરબંદરમાં પોરબંદર છાયા નગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે 17મી જાન્યુઆરીના રોજ લાઈવ સ્ટડી પોટ્રેઇટ ગ્રુપ અમદાવાદ 8 આર્ટિસ્ટ સર્વ અજય ગોહીલ, આશિષ કટારીયા, ભાગવત ભાવસાર, વિક્રમ ચિત્રમ રાજુલ, ઇન્દ્રજીત ઝાલા, જયેશ મિસ્ત્રી, નંદની વી કિશોર કિશોર, વત્સલ એમ કિશોર 45 જેટલા ચિત્રોના પ્રદર્શનનું ઉદઘાટન પોરબંદર ધારાસભ્ય હસ્તે તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકવા આવ્યું. આ પ્રદર્શનમાં ડો.ચેતનાબેન તિવારી પૂર્વ પ્રમુખ પોરબંદર છાયા નગરપાલિકા, કમલ એન.પાઉ સી.ઈ.ઓ. ગજાનન એકેડમી પ્રાઇવેટ લિમિટેડ તથા ડો.સનતભાઈ જોશી અધ્યક્ષ સંસ્કાર ભારતી પોરબંદર જિલ્લા,ઇતિહાસવિદ નરોત્તમભાઈ પલાણ,
સુપ્રસિદ્ધ તબીબ ડો.સુરેશ ગાંધી તથા શહેરના મહાનુભવો તથા કલા રસિક નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
આ સાથે ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રમુખ ચિત્રકાર બલરાજભાઈ પાડલીયા, કમલ ગોસ્વામી,
શૈલેષ પરમાર,ધારા જોશી, કરશનભાઈ ઓડોદરા,સમીર ઓડેદરા તથા ભાવિક જોશીએ સૌ આર્ટિસ્ટને શુભેચ્છાઓ પાઠવેલ. આ પ્રસંગે સૌ ચિત્રકરોને પોરબંદર મ્યુનિસિપલ કમિશનર શ્રી એચ જે પ્રજાપતિ ડેપ્યુટી કલેકટર મનન એ. ચતુર્વેદી તથા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાએ શુભેચ્છા પાઠવેલ. કાર્યક્રમનું સંચાલન ચંદ્રેશ કિશોરે તથા આભાર દર્શન જયેશ મિસ્ત્રી-અમદાવાદ એ કરેલ. આ પ્રદર્શન તારીખ 18 તથા 19 જાન્યુઆરી બપોરે 4.00 થી 8:30 દરમિયાન ખૂલ્લું રહેશે તેમ પોરબંદર ઇનોવેટીવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રમુખ બલરાજ પાડલીયાએ જણાવ્યું છે







