ભાવનગર
૨૦ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ શહેર ભાજપ સંગઠન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા ભાવનગર એરપોર્ટ ખાતે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવેલ જેમાં શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, ગ્રાહક બાબતો, અન્ન, પુરવઠો અને જાહેર વિતરણના કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા, પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, મેયર ભરતભાઈ બારડ, શહેર મહામંત્રી અલ્પેશભાઈ પટેલ, નરેશભાઈ મકવાણા, પાર્થભાઈ ગોંડલીયા, સ્ટે. કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા, ન. પ્રા. શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજભાઈ મહેતા તથા શહેર અને જીલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.




