ભાવનગર
પોરબંદરના સાંસદ અને શ્રમ અને રોજગાર યુવા બાબતો અને રમત ગમત મંત્રાલયનાં કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઇ માંડવિયાની વર્ચૂઅલી ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત સભાખંડ પોરબંદર ખાતે જિલ્લાનાં વિવિધ વિભાગોના ૧૯૪૭.૭૫ લાખનાં ૧૬૧ વિકાસ કાર્યોના ઈ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસ લક્ષી રાજનીતિની શરૂઆત થઈ હતી. તેને મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આગળ ધપાવીને લોકોની સુખાકારી વધે તે દિશામાં સરકાર કાર્ય કરી રહી છે.
પોરબંદરના સાંસદ અને શ્રમ અને રોજગાર યુવા બાબતો અને રમત ગમત મંત્રાલયનાં કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઇ માંડવિયા દ્વારા પોરબંદર-દિલ્હી સરાય રોહીલ્લા અને પોરબંદર-મુઝ્ઝફરનગર-પોરબંદર દ્વિ સાપ્તાહિક ટ્રેનનાં એલ. એચ. બી. ટ્રેનમાં રૂપાંતરણનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા પણ વર્ચુઅલી જોડાયા હતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા આ કાર્યક્રમમાં પોરબંદરમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, પોરબંદર તાલુકા પંચાયત પ્રમુખ લીરીબેન ખૂટી, નિવાસી અધિક કલેકટર જે.બી.વદર, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, ડીવાયએસપી રૂતુ રાબા, અગ્રણી રમેશભાઈ પટેલ, રામદેવભાઈ મોઢવાડિયા, સામતભાઈ ઓડેદરા, ભીમભાઇ ઓડેદરા, મીતાબેન થાનકી સહિતનાં અગ્રણીઓ, અધિકારી-કર્મચારીઓ અને અને જિલ્લાનાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.




