ભાવનગર
ભાવનગર શહેર ભાજપના નગરસેવક સ્વ ભાવનાબેન દવેનું ટૂંકી માંદગીમાં નાની ઉંમરે અવસાન થતા સિન્ધુનગર સ્મશાન ખાતે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ સહિત શહેર સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ વિશાળ સંખ્યમાં ભાજપ કાર્યકરો તેમજ સર્વપક્ષીય અને સર્વસમાજ તેમની અગ્નિસંસ્કાર વિધિમાં ઉપસ્થિત રહ્યા હતાં. શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને નિમુબેન બાંભણીયા તેમજ ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી અને સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઇ બારડ, ત્રણેય મહામંત્રીઓ પાર્થભાઈ ગોંડલીયા, અલ્પેશભાઈ પટેલ અને નરેશભાઈ મકવાણા સહિત શહેર ભાજપ સંગઠન, વરિષ્ટ આગેવાનો, મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ, નગરસેવકો, વોર્ડ સંગઠન તેમજ તમામ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ સ્વ. ભાવનાબેન દવેને ભાવભરી શ્રદ્ધાંજલી આપેલ અને મીડિયા સાથે સંકળાયેલા તેમના પતિ ભાવેશભાઈ દવે અને પરિવારને સાંત્વના પાઠવી હતી.
