તા 22 ની રાત્રિના તસ્કરોએ હાથ અજમાવ્યો: માતાજીના ચાંદીના છત્તરો,મુંગટ,ત્રીશુલ તેમજ સોનાની નથ, રોકડ અને મહાદેવ મંદિરની દાનપેટીની રોકડ રકમ પણ તસ્કરો બઠાવી ગયા
ભાવનગર
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાવડી ગામે આવેલ ભોળાનાથ મહાદેવ મંદિર અને ચામુંડા માતાજીના મંદિરના ગઈકાલ રાત્રિના સોના ચાંદીના માતાજી ના આભૂષણો તેમજ રોકડ સહિત લગભગ એક લાખ રૂપિયાની માલમત્તાની ચોરી થઈ છે. બનાવતી લોકો અચંબિત થઈ ગયા છે અને કેટલાક નામો ચર્ચામાં પણ આવી ગયા છે. કોઈ તદ્દન જાણભેદુ વ્યક્તિનું આ પરાક્રમ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘોઘા પોલીસ બનાવની આરપારનો ભેદ ઉકેલવા મથી રહી છે.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઘોઘા તાલુકાના વાવડી ગામે આવેલ ચામુંડા માતાજીના મંદીરના દરવાજાનુ તેમજ દાન પેટીનુ કોઇ અજાણ્યો ચોર ઇસમ તારીખ ૨૨.૧.૨૦૨૫ના રાત્રીના કલાલ ૨૦.૩૦થી તારીખ ૨૩.૧.૨૦૨૫ના રોજ સવારના કલાક ૫.૦૦ દરમ્યાન માતાજીને ચડાવેલ દર દાગીના જેમાં ચાંદીના છત્તરો,મુંગટ,ત્રીશુલ તેમજ સોનાની નથ તેમજ રોકડ રકમ મળી કીંમત રૂપિયા ૯૪,૦૦૦ ની તેમજ ભોળાનાથ મંદીરની દાન પેટીનુ તાળુ તોડી રૂ.૩૦૦૦ મળી કુલ કી.રૂ.૯૭,૦૦૦ ની ચોરી કરી લઇ જઇ ગુન્હો કર્યા બાબતની ફરિયાદ તા.૨૩/૦૧/૨૦૨૫ના રોજ મહેન્દ્રસિંહ પોપટભા ગોહિલ (ઉ.વ.૪૨ ધંધો,ખેતીકામ રહે.વાવડી ગામ તા.ઘોઘા જી.ભાવનગર)એ નોંધાવતાં ઘોઘા પીએસઆઇ ભુરાભારથી ગોસ્વામીએ તપાસ હાથ ધરી છે.
મંદિરની અને દાનપેટીની ચાવી કોની-કોની પાસે રહે છે?
ગોહિલ પરિવારના કુળદેવી ચામુંડા માતાજીના મંદિરની સેવા પુજા અમારા વાવડીના વિનોદરાય કરશનદાસ અગ્રાવત કરે છે. આ મંદિરમાં ભોય તળીયે સમાજનો હોલ પણ આવેલ છે. આ ચામુંડામાના મંદિરમાં દાનપેટી અંદર મુકેલ છે, જે પેટી દર વર્ષે નવરાત્રીમાં ખોલાય છે અને દાનપેટીની ચાવી સમાજના આગેવાન પાસે રહે છે. અને પુજારી દરરોજ રાત્રીના આરતી થયા પછી મંદિરને તાળુ મારે છે જે ચાવી તેઓ પાસે રહે છે. અને આ મંદિર દરરોજ રાત્રીના આશરે આઠ સાડા આઠ વાગ્યે બંધ કરાય છે અને સવારે પાંચેક વાગ્યે આરતી સમયે પુજારી મંદીર ખોલે છે.
માતાજી અને મહાદેવના મંદિરમાં શેની શેની ચોરી થઈ?
(૧) માતાજીનુ ચાંદીનુ છત્તર મોટુ ૧(એક) વજન આશરે ૭૦૦ ગ્રામ જેની અંદાજીત કિ.રૂ.૩૫,૦ ૦૦/-
(૨) ચાંદીના નાના-મોટા છત્તર ૧૦ થી ૧૨ જેની આશરે અંદાજીત કિ.રૂ.૩,૦૦૦/-
(૩)ચાંદીનુ ત્રીશુલ અંદાજીત કિ.રૂ.૫,૦૦૦/-
(૪) મુંગટ ચાદીનો ૧(એક) વજન આશરે ૫૦૦ ગ્રામ જેની અંદાજીત કિ.રૂ.૧૫,૦૦૦/-
(૫) ચાંદીના છે ડા જોડ એક જેની અંદાજીત કિ.રૂ.૨,૦૦૦/-
(૬) સોનાની નથ,સળ સાથે જેની આશરે કિ.રૂ.૧૫,૦૦૦/- (૭) દાનપે ટીમાંથી અંદાજીત રોકડ રકમ રૂ.૧૫૦૦૦/-
કુલ કિ.રૂ.૯૪,૦૦૦/-
(૮) ભોળાનાથના મંદિરની દાન પેટીમાંથી રૂ.૩૦૦૦/-
મળી કુલ કિ.રૂ.૯૭,૦૦૦/-