Saturday June 21, 2025

રામાયણની એક ચોપાઈ સમજાઈ જાય તો પણ જીવન માટે અમૃતવર્ષા અને કુંભસ્નાન – શ્રી મોરારિબાપુ

પ્રયાગરાજમાં ‘માનસ મહાકુંભ’ પ્રસંગે જોડાયાં રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલ

પ્રયાગરાજ શનિવાર તા.૨૫-૧-૨૦૨૫
(મૂકેશ પંડિત)

તીર્થરાજ પ્રયાગરાજમાં મહાકુંભમેળા પર્વે ચાલતી રામકથામાં શ્રી મોરારિબાપુએ કહ્યું કે, રામાયણની એક ચોપાઈ સમજાઈ જાય તો પણ જીવન માટે અમૃતવર્ષા અને કુંભસ્નાન સમાન છે. રામકથા ‘માનસ મહાકુંભ’ પ્રસંગે રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલ જોડાયાં અને પ્રસન્નતા વ્યક્ત કરી.

પરમાર્થ નિકેતન આશ્રમમાં શ્રી મોરારિબાપુએ રામકથા ‘માનસ મહાકુંભ’ ગાન કરતાં કહ્યું કે, રામાયણની એક ચોપાઈ સમજાઈ જાય તો પણ જીવન માટે અમૃતવર્ષા અને કુંભસ્નાન સમાન છે. રામકથામાંથી માનસ અમૃતબિંદુઓ પ્રાપ્ત થાય છે. નેત્રામૃત, સાધુઅમૃત, સંતઅમૃત, ગિરામૃત, ક્રીપામૃત, સરિતામૃત, સૌંદર્યામૃત… સહિત મળતાં અમૃત બિંદુઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો.

રામકથા ‘માનસ મહાકુંભ’ પ્રસંગે રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલ જોડાયાં અને પ્રસન્નતા વ્યક્ત કરી જણાવ્યું કે, શ્રી મોરારિબાપુ દ્વારા વંચિતો માટે યોજાતાં કથા ઉપક્રમો વંદનીય છે. તેઓએ મહિલા સશકિતકરણ માટે પણ ઉપસ્થિત શ્રોતા સમાજને સંદેશો આપ્યો.

તીર્થરાજ પ્રયાગરાજમાં રામકથામાં પરમાર્થ નિકેતન આશ્રમનાં શ્રી સચ્ચિદાનંદજી સ્વામી, સાધ્વી શ્રી ભગવતીદેવીજી અને શ્રી સતુઆબાબાનાંનાં સંકલન સાથે સંતો મહંતો ધર્માચાર્યોની પ્રેરક ઉપસ્થિતિ સાથે તેઓ દ્વારા પણ પ્રાસંગિક વાતો થતી રહી.

મહાકુંભ સ્નાન સાથે કથાગંગામાં ભાવિક શ્રોતાઓને લાભ મળ્યો છે. ભજન, ભોજન અને તીર્થ દર્શન લાભ માટે મોટી સંખ્યામાં આસ્થાળુઓ જોડાયાં રહ્યાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top