
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૫
76 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ભારતભરમાં કરવામાં આવી રહી છે. ત્યારે દ્વારકામાં પણ વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. ભારતના પશ્ચિમ ક્ષેત્રમાં બિરાજીત ભગવાન દ્વારકાધીશના જગત મંદિરના શિખર પર આજે તિરંગા રંગની ધ્વજનું આરોહણ કરવામાં આવ્યું હતું. એવું પ્રતિક થતું હતું કે જાણે ભગવાન દ્વારકાધીશ તિરંગે રંગે રંગાયા હોય.

તે સાથે દર વર્ષની જેમ આ વર્ષ પણ ચેતનભાઈ જીંદાણી દ્વારા સંચાલિત શ્રી ભડકેશ્વર યોગ ગૃપ તથા યોગ પરિવાર દ્વારકા દ્વારા પવિત્ર ગોમતી નદી તેમજ ભડકેશ્વર મહાદેવ મંદિર પરિસર માં 26 મી જાન્યુઆરી ગણતંત્ર દિવસની ભવ્ય અને વિશેષ ઉજવણી કરી,ગોમતી તથા ભડકેશ્વર ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં દ્વારકામાં આવતા યાત્રિકોએ પણ રાષ્ટ્રીય પર્વને માણ્યો અને દ્વારકામાં આ વિશેષ ઉજવણી જોઈ ભક્તિભાવ, ધર્મ સાથે રાષ્ટ્રભાવનાની ઉજવણી નિહાળીને ગૌરવની લાગણી અનુભવી હતી.

(ફોટો:- કુંજન રાડિયા)