Saturday June 21, 2025

ભાવનગર ડિવિઝનના લોકો પાયલોટ અને ફોરેસ્ટ ટ્રેકરની મદદથી બે બચ્ચા અને બે સિંહણને ટ્રેનની અડફેટે આવતાં બચાવી લેવાયાં

ભાવનગર

ભાવનગર રેલવે મંડળ સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલવે મંડળના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 135 સિંહોના જીવ બચાવાયા છે.


ભાવનગર ડિવિઝનના સીનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદે જણાવ્યું હતું કે, 25.01.2025 (શનિવાર) ના રોજ સાવરકુંડલા-ગાધકડા સેક્શનમાં કિમી સં. 63/4-63/6 વચ્ચે લોકો પાયલોટ જીતેન્દ્ર પાંચાલ અને સહાયક લોકો પાયલટ રામસેવક કુમાર દ્વારા રેલવે ટ્રેક પર 02 શાવક જોવા મળતાં તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને માલગાડીને અટકાવી દેવામાં આવી હતી. ટ્રેન મેનેજર (ગાર્ડ)ને લોકો પાયલટ દ્વારા જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ ટ્રેકર હિમાઁશુ શર્મા અને જીતુભાઈ દ્વારા ટ્રેક ક્લિયર કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ, જ્યારે બધી સ્થિતિ સામાન્ય જોવા મળી, ત્યારે લોકો પાઇલટને ફોરેસ્ટ ગાર્ડ/ટ્રેકર દ્વારા પ્રસ્થાન કરવાનું કહેવામાં આવ્યું. ત્યારપછી ટ્રેનને લોકો પાયલોટ દ્વારા કાળજીપૂર્વક ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી.
26.01.2025 (રવિવાર) ના રોજ, લોકો પાયલોટ રાજેશ કુમાર એચ સિંહને વિજપડી-ગાધકડા સેક્શનમાં કિ.મી. 82/0-81/9 ની વચ્ચે રેલ્વે ટ્રેક પર 02 સિંહો જોવા મળતાં તેમણે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને માલગાડીને રોકી હતી. ટ્રેન મેનેજર (ગાર્ડ)ને લોકો પાયલટ દ્વારા જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ ટ્રેકર દ્વારા ટ્રેક સાફ કરાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ, જ્યારે તમામ સ્થિતિ સામાન્ય જોવા મળી, ત્યારે લોકો પાઇલટને ફોરેસ્ટ ગાર્ડ/ટ્રેકર દ્વારા પ્રસ્થાન કરવાનું કહેવામાં આવ્યું. ત્યારપછી ટ્રેનને લોકો પાયલોટ દ્વારા કાળજીપૂર્વક ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી.
માહિતી પ્રાપ્ત થતાં, ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર, એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર હિમાઁશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાઇલોટ્સના પ્રશંસનીય કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top