Saturday June 21, 2025

તળાજાના કૂંઢેલી ગામે ઠાકર દુવારા ખાતે જ્યોત દર્શન સાથે પાટોત્સવ યોજાશે

વાર્ષિક પાટોત્સવની ઉજવણી સાથે સંતવાણી, મહા પ્રસાદ જેવા કાર્યક્રમોનું ભાવભેર આયોજન

હરેશ જોષી, કુંઢેલી

તળાજા તાલુકાના કૂંઢેલી ગામે આવેલા પુરાણ પ્રસિદ્ધ અને દેવાયત પંડિત તથા સતિ દેવલદે ના કરકમલો દ્વારા સ્થાપિત 500 વર્ષ પુરાણા ઠાકર દુવારાનો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે.
પ્રતિવર્ષ મહા સુદ બીજના રોજ સમસ્ત માલધારી સમાજ તથા ગામ લોકો દ્વારા અહી પાટોત્સવ ભક્તિમય વાતાવરણમાં ઉજવવામાં આવે છે.
તા.31, જાન્યુઆરી ને શુક્રવારના પાટોત્સવ નિમિત્તેના કાર્યક્રમો મુજબ સંધ્યા આરતી સાથે પંચમુખી જ્યોતના દર્શનનો લાભ શ્રદ્ધાળુઓને મળશે. ઉપરાંત જાહેર સંતવાણી યોજાશે. સાંજના મહાપ્રસાદ વિતરણ કરવામાં આવશે.
જ્યોત દર્શન, સંતવાણી, મહાપ્રસાદ ભોજનનો સૌને લાભ લેવા માલધારી સમાજ, મહંત છગન ભગત તેમજ સમસ્ત ભગત પરિવાર દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top