
જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૫
(કુંજન રાડિયા દ્વારા)
ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણીના સુપુત્ર શ્રી ધનરાજભાઈ ધનરાજ નથવાણીનો આજે જન્મદિવસ છે.
ધનરાજભાઈ નથવાણી રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડના ડાયરેક્ટર છે અને સાથે-સાથે તેઓ ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી તેમજ ફોર્ચ્યુન 500માં સામેલ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ગ્રુપ પ્રેસિડેન્ટનો હોદ્દો પણ ધરાવે છે. એક સમયે ટેક્સટાઈલ્સ અને પોલિએસ્ટર કંપની તરીકે જાણીતી રિલાયન્સ કાળક્રમે ઉત્ક્રાંતિ પામીને હવે એનર્જી, મટીરીયલ્સ, રિટેલ, એન્ટરટેઈન્મેન્ટ અને ડિજિટલ ક્ષેત્રમાં પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી ચૂકી છે. રિલાયન્સની પ્રોડક્ટ્સ અને સર્વિસીઝ પોર્ટફોલિયો એ હદે વિસ્તરી ચૂક્યો છે કે આજે તે કોઈને કોઈ રીતે દરેક ભારતીયને તેના રોજિંદા જીવનમાં આર્થિક અથવા સામાજિક ફલક પર સ્પર્શી રહ્યો છે. રિલાયન્સ હવે એવા પ્લેટફોર્મ્સનું નિર્માણ કરવા પર ધ્યાન આપી રહી છે કે જે ચોથી ઔદ્યોગિક ક્રાંતિને વેગ આપશે અને ભારત માટે અનેક તકો અને સફળતાની ક્ષિતિજોનું નિર્માણ કરશે, જેથી તેના દરેક નાગરિકો પોતાની ખરી ક્ષમતાને ઉજાગર કરી શકે.
ધનરાજ નથવાણી હાલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના જામનગર મેન્યુફેક્ચરિંગ ડિવિઝન તેમજ વડોદરા મેન્યુફેક્ચરિંગ ડિવિઝન ઉપરાંત ગુજરાતમાં રિલાયન્સ જિયોની કામગીરી સંભાળી રહ્યા છે. તેઓ ફાઈનાન્સ એન્ડ એકાઉન્ટ્સ, પ્રોક્યોર્મેન્ટ એન્ડ કોન્ટ્રાક્ટ્સ, હ્યુમન રિસોર્સ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી, સિક્યોરિટી, કોર્પોરેટ અફેર્સ અને કંપનીના બંને મેન્યુફેક્ચરિંગ ડિવિઝનની સીએસઆર પ્રવૃત્તિઓનો હવાલો સંભાળી રહ્યા છે. તેઓ દિલ્હી અને મહારાષ્ટ્ર રાજ્ય સંબંધિત ચોક્કસ વધારાની જવાબદારીઓ પણ સંભાળી રહ્યા છે.
તેઓ રમતગમત પ્રત્યે અત્યંત ઉત્સાહી છે. ધનરાજ નથવાણી હાલ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના (જીસીએ)ના પ્રેસિડેન્ટ છે. અગાઉ 2013માં, અમિત શાહએ જીસીએનો ચાર્જ લીધો હતો અને એસોસિયેશનના તત્કાલીન પ્રેસિડેન્ટ તરીકે તેમણે અમદાવાદમાં સમગ્ર વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બાંધવાનું સ્વપ્ન સેવ્યું હતું અને કેટલાક દૂરોગામી અસરો ધરાવતા નીતિ વિષયક ફેરફારો કર્યા હતા. તેમના અનુગામી તરીકે, ધનરાજ નથવાણીએ આ સ્વપ્નની પરિકલ્પનાને આગળ ધપાવી હતી અને તેને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેની ફળશ્રુતિરૂપે આપણે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જોઈ રહ્યા છીએ. સાચે જ, ક્રિકેટિંગ વિશ્વમાં આ સ્ટેડિયમ એક બેનમૂન સ્થાપત્યનો દરજ્જો પ્રાપ્ત કરી ચૂક્યું છે.
ધનરાજ નથવાણી અનેકવિધ સંસ્થાઓ/ બોર્ડમાં હોદ્દો ધરાવે છે. તેઓ દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિના ઉપાધ્યક્ષ છે. ઉપરાંત જામનગર જિલ્લા ફૂટબોલ એસોસિયેશનના પ્રમુખ, ગુજરાત સ્ટેટ બોર્ડ ઓફ વાઈલ્ડલાઈફના સભ્ય, નાથદ્વારા ટેમ્પલ બોર્ડના સભ્ય, યુનાઈટેડ નેશન્સ એસોસિયેશન, ગુજરાતના ઉપપ્રમુખ, ગવર્નિંગ બોર્ડ ઓફ જીએલએસ યુનિવર્સિટી, અમદાવાદના સભ્ય, બોર્ડ ઓફ ગવર્નર્સ, ગુજરાત ઈકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (ગીર) ફાઉન્ડેશનના સભ્ય, દ્વારકાના સુદામા સેતુ સેવા સોસાયટીના ઉપપ્રમુખ,, હાઈ પાવર કમિટી ઓફ જીઓજી, ગુજરાત પ્રોફેશનલ ટેકનિકલ એજ્યુકેશનલ કોલેજીસ ઓર ઈન્સ્ટિટ્યૂશન્સ (પ્રોસિજર ફોર ડિક્લેરેશન ઓફ રેન્ટર ઓફ એક્સેલન્સ)ના સભ્ય, વડોદરા મેરેથોનના બોર્ડ સભ્ય, કારોબારી સમિતિ, ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેટિવ સોસાયટીના સભ્ય, ગવર્નિંગ કાઉન્સિલ ઓફ જયસુખલાલ વાઢેર ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના સભ્ય, દ્વારકાની શ્રી શારદાપીઠ વિદ્યાસભાના ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી રહ્યા છે.
ધનરાજ નથવાણી રિજન્ટ્સ બિઝનેસ સ્કૂલ ઓફ લંડન (યુકે)માં ઈન્ટરનેશનલ બિઝનેસનો અભ્યાસ કરી ચૂક્યા છે. તેમણે માસ્ટર્સ ઈન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (એમબીએ)નો અભ્યાસ કોર્પોરેટ લૉ એન્ડ પબ્લિક રિલેશન્સ મેનેજમેન્ટમાં સ્પેશિયલાઈઝેશન સાથે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં કર્યો છે.
ધનરાજભાઈ નથવાણીને આજે તેમના જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓની વર્ષા થઈ રહી છે.

(ફોટો: કુંજન રાડિયા)