અમરેલી
એડવોકેટ હરનીલ ત્રિવેદીની ધારદાર દલીલો ને ધ્યાને લઇ અમરેલીના સ્પે. પોકસો કોર્ટ ના જજ ડી.એસ. શ્રીવાસ્તવે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ કામે બાબરા કરીયાણા રોડ પર રહેતા ભોગ બનનારને આરોપી શૈલેન્દ્રકુમાર મહાવીરસેન લલચાવી ફોસલાવી બદકામ ક૨વાના ઈરાદાથી ભોગ બનનારને કાયદેસ૨ના વાલીપણામાંથી ઉપાડી ગયેલ હતા. તે અંગેની ફરીયાદ ફરીયાદીએ બાબરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી હતી અને ફરીયાદની વિગતે તેમણે જણાવેલ હતું કે તેમની સગીર દિકરીએ બનાવના દિવસે દિવસ સુધીમાં ધો.૧૦ સુધીનો અભ્યાસ કરેલ હતો અને બનાવના દિવસે તેમની ભોગ બનનાર દિક૨ી ને તેઓ બ્યુટી પાર્લરમાં મુકીને આવતા રહેલ હતા. ત્યારબાદ સાંજના ૬:૩૦ વાગ્યે તેમની ભોગ બનનાર દિકરીને ફોન ક૨તા તેનો મોબાઈલ સ્વીચઓફ આવતો હતો. ત્યારબાદ ફરીયાદીએ તેમની દિકરી બાબતે તપાસ કરતા મળી આવેલ નહીં. જેથી તે અંગેની ફરીયાદ તેઓએ બાબરા પોલીસમાં આપેલ હતી. ત્યારબાદ પોલીસે તપાસ કરતા આરોપી ઉતરપ્રદેશ ખાતે રહેતા હોવાનું જણાય આવતા તે બાબતે વધુ તપાસ કરતા આ કામના આરોપી કલ્પેશભાઈ તનસુખભાઈ કાગદડાએ તેમને ઉપરોકત બનાવ બાબતે ભોગ બનનાર સગીરવયના અને અણસમજુ હોવાનું પહેલેથી જાણતા હોવા છતા ભોગ બનનારના ભોળપણનો લાભ લઈ આરોપી શૈલેન્દ્રકુમારે તેમનું વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયેલ હોય તે બનાવમાં આ કામના આરોપીએ તેમને મદદ કરેલ હોય જેથી પોલીસે ત્યારબાદ આઈ.પી.સી. કલમ – ૧૧૪ તથા પોકસો એકટ ની કલમ – ૧૭ નો ઉમેરો ફ૨ીયાદમાં કરેલ હતો. ઉપરોકત ફરીયાદની વિગતે આરોપી સામે પોલીસે ભારતીય ફોજદારી ધારાની કલમ – ૩૬૩, ૬૬, ૧૧૪ તથા પોકસો એકટની કલમ – ૧૭ તથા ૧૮ ની વિગતે આરોપી કલ્પેશભાઈ તનસુખભાઈ કાગડા વિરૂધ્ધ ચાર્જશીટ કરેલ હતું. ત્યારબાદ અમરેલીની સ્પેશ્યલ પોકસો કોર્ટ સમક્ષ આ કેસ શરૂ થયેલ હતો. કેસ શરૂ થતા સરકાર પક્ષે ઘણા સાક્ષીઓ તપાસવામાં આવેલ હતા, સમગ્ર કેસ ચાલી જતા ફરીયાદપક્ષ પોતાનો કેસ સાબીત કરી શકેલ ન હોય આ કામના આરોપી કલ્પેશભાઈ તનસુખભાઈ કાગદડા ને અમરેલીની સ્પેશ્યલ પોકસો કોર્ટ ના જજ ડી.એસ. શ્રીવાસ્તવે નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી કલ્પેશભાઈ તનસુખભાઈ કાગદડા તર્ફે અમરેલીના એડવોકેટ હરનીલ ત્રિવેદી રોકાયેલ હતા.
બાબરાના અપહરણ કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો કરાવતા એડવોકેટ હરનીલ ત્રિવેદી
