
ભાવનગર
સમગ્ર વિશ્વ માં પૂ જલારામ બાપા ની 144 મી પુણ્ય તિથિ આગામી તા.23 ફેબ્રુઆરી ને રવિવાર ના રોજ હોય જે નિમિતે ઠેર ઠેર પૂ.જલારામ બાપા ના જીવન મંત્ર સમાન ભજન ધૂન અને મહાપ્રસાદ નું આયોજન સાથે જનસેવા ના કાર્યો નું આયોજન કરવા માં આવેલ છે. ભાવનગર ખાતે જલારામ મંદિર આનંદનગર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવા માં આવેલ છે.
પૂ જલારામ બાપા ની 144 મી પુણ્ય તિથિ રવિવાર ના રોજ સવાર થી રાત સુધી બાપા ના દર્શન ખુલ્લા રહેશે તેમજ સાંજે 5 થી 7 દરમ્યાન ધૂન ભજન કીર્તન તેમજ સાંજે 5 થી રાત્રી ના 10 સુધી રેડક્રોસ બ્લડ બેન્ક ના સહકાર થી જનરલ આરોગ્ય તપાસ કેમ્પ અને રક્તદાન શિબિર યોજાશે જેમાં 18 થી 65 વર્ષ ના કોઈપણ ભાઈઓ બહેનો રક્તદાન કરી શકે છે. માનવસેવા ના ભાગરૂપે સર્વે રક્તદાતાઓ ને રક્તદાન કરવા ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે. સાંજે 7.30 થી ભોજન પ્રસાદ થશે જેમાં સૌ નગરજનો ભક્તજનો ને સહ પરિવાર પ્રસાદ લેવા પધારવા જલારામ મંદિર આનંદનગર દ્વારા નિમંત્રણ પાઠવવા માં આવ્યું છે.