Friday August 08, 2025

ખંભાળિયા આઈ.ટી.આઈ. ખાતે કાલે ઔધોગિક ભરતીમેળો યોજાશે

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫

      દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, આવતીકાલે શુક્રવારે સવારે સાડા દસ વાગ્યે ખંભાળિયામાં આઈ.ટી.આઈ. ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુ વચ્ચે સેતુરૂપ ઔધોગિક ભરતી મેળો યોજાશે. 

      ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવ બળની જરૂરિયાત હોય, જે અંતર્ગત ઈચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયુ છે. જોબફેરમાં જુદી-જુદી કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે અને આ માટે એસ.એસ.સી, આઈ.ટી.આઈ. અને ડિપ્લોમા જેવી લાયકાત ધરવતા ઉમેદવારો માટે મશીન ઓપરેટર, કેમિસ્ટ અને સિવિલ હેલ્પર જેવી જગ્યાઓ માટે જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે.

         આ એક ઓપન જોબફેર હોય, કોલ લેટર ન મળેલ હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવેલ હોય તેવા ઉમેદવારો પણ સ્વખર્ચે આ જોબફેરમાં હાજર રહી શકાશે તેમ જણાવાયું છે.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top